ઇન્ડિયન ટી 20 લીગની પહેલી સ્પર્ધામાં ત્રણ વખતની ચેમ્પિયન મુંબઇને દિલ્હીએ 37 રનથી માત આપી. મુંબઇ આ મેચ હારી ગઇ, પરંતુ ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલા અનુભવી ઑલરાઉન્ડર યુવરાજ સિંહએ એક વખત ફરીથી જણાવી દીધું કે એના બેટમાં હજું કેટલો જીવ બાકી છે. આ મેચમાં યુવરાજમાં 35 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 53 રનની અર્ધશતકીય ઇનિંન્ગ રમી.
વર્લ્ડ કપથી પહેલા યુવરાજનો એવો અવતાર જોયા બાદ ફરીથી એના સંન્યાસ પર ચર્ચાઓનું બજાર ગરમ થઇ ગયું છે. મેચ બાદ યુવરાજ સિંહને જ્યારે એના સંન્યાસ માટે પૂછવામાં આવ્યું તો એને ખૂબ જ રસપ્રદ અંદાજમાં જવાબ આપતા કહ્યું કે, 'જે દિવસે મને એ વાતનો અંદાજો થઇ જશે કે હું રમી શકીશ નહીં એ દિવસે હું પોતે સંન્યાસ લઇ લઇશ.'
ગત વર્ષે દિલ્હીની તરફથી રમનાર 37 વર્ષીય ઑલરાઉન્ડરે કહ્યું, 'હું આજે પણ ક્રિકેટને એવી જ રીતે એન્જોય કરી રહ્યો છું જેવી રીતે અંડર 16 માટે રમતા હું કરી રહ્યો હતો. મને આ ખેલથી પ્રેમ છે એટલા માટે હું રમું છું. જ્યાં સુધી મને રમવામાં મજા આવતી રહેશે ત્યાં સુધી હું રમીશ. એ સમયે મને નહતું લાગતું કે હું ઇન્ડિયા માટે રમી રહ્યો છુ, પરંતુ એવું લાગે છે જેમ કે આજે પણ અંડર14 અથવા અંડર16 માટે રમી રહ્યો છું.'