ટીમ ઇન્ડિયાના પૂર્વ બેટ્સમેન યુવરાજ સિંહ સોમવારે દાવો કર્યો કે, ''દેશના ઘણા ક્રિકેટર્સ પોતાનું સ્થાન ગુમાવવાની ડરથી રેસ્ટ નથી લેતા.'' આ સાથે જ કહ્યુ કે, સૌરવ ગાંગુલી BCCI ના અધ્યક્ષ બનવાથી તેમાં બદલાવ આવવાની સંભાવના છે. પ્રાઇવેટ લીગમાં રમવા માટે ઇન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લેનારા યુવરાજે ખિલાડીઓના સંઘનું પણ સમર્થન કર્યુ છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત લોઢા કમિટીની ભલામણો અનુસાર ખેલાડીઓના સંઘ ‘ઈન્ડિયન ક્રિકેટર્સ એસોસિએશન’ પહેલેથી જ રચના કરાઇ ચૂકી છે. યુવરાજે અહીંયા પત્રકારોને કહ્યુ કે, ''અમે આના હકદાર છીએ કારણ કે, ઘણીવખત અમને ક્રિકેટ રમવા માટે કહેવામાં આવે છે. જ્યારે અમે એવું ઇચ્છતા નથી. અમારે એવા દબાણમાં રમવુ પડે છે, જો અમે નહીં રમીએ તો અમને બહાર કરી દેવાશે.''
યુવરાજે આગળ કહ્યુ કે, '' ખેલાડીઓ પર એ વાતનું દબાણ ખત્મ થઇ જવુ જોઇએ કે, તે થાકેલા અથવા ઇજાગ્રસ્ત હોય ત્યારે પણ તેમને રમવુ પડશે. યુવરાજે ઑસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલનું ઉદાહરણ આપ્યું જેને માનસિક સ્વાસ્થ્યથી સંબંધિત બાબતને કારણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી બ્રેક લીધો અને બોર્ડે તેનું સમર્થન કર્યુ હતુ, આપણા ક્રિકેટર્સ આવું નથી કરી શકતા કારણ કે તેમને પોતાનું સ્થાન ગુમાવવાનો ડર હોય છે. એટલે ખેલાડીઓમાં સંઘ ખૂબજ મહત્વપૂર્ણ છે. ગાંગુલીના અધ્યક્ષ બન્યા પછી BCCI માં પરિવર્તનો થવાની શક્યતા છે અને ખેલાડીઓનું સાંભળવામાં આવશે.''
સૌરવ ગાંગુલી વિશે વાત કરતા કહ્યુ કે, ''BCCI ના અધ્યક્ષ બન્યા પછી ભારતીય ક્રિકેટમાં ઘણી નવી વસ્તુઓ થશે. પ્રશાસકોની નજરમાં ક્રિકેટ અને ક્રિકેટરોની નજરમાં ક્રિકેટ બંનેમાં ઘણું અંતર છે. એક ખૂબ જ કેપ્ટન ક્રિકેટર્સને હિતોને ધ્યાનમાં રાખશે જ્યાં ખેલાડીઓની વાત પણ સાંભળવામાં આવશે. આવું પહેલા થયુ નથી. હવે તે ક્રિકેટર્સની વાત પણ સાંભળશે, તે શું ઇચ્છે છે.''