અનુભવી ક્રિકેટર યુવરાજ સિંહને કહ્યુ કે '' ટીમ ઇન્ડિયાના વર્લ્ડ કપમાં પરફૉર્મન્સમાં મહેન્દ્ર સિંહ ધોનીની હાજરી મહત્વની છે કેમકે તે હાલના કેપ્ટન વિરાટ કોહલી માટે 'માર્ગદર્શક' છે અને નિર્ણય લેવા માટે તે મહત્વની ભૂમિકા ભજવશે.'' ફોર્મને લઇને ધોનીના ટીમમાં સ્થાન વિવાદનો વિષય બન્યો છે પરંતુ પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર સહિત અન્યનું કહેવુ છે કે ''મેચની પરિસ્થિતિની પરખ તેણે ટીમ માટે મહત્વપૂર્ણ બનાવે છે.''
2011 વર્લ્ડ કપમાં 'પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ' રહેલા યુવરાજે જ્યારે ધોનીના વિશે પૂછવામાં આવ્યુ તો કહ્યુ કે ''મને લાગે છે કે માહી (ધોની)નું ક્રિકેટ જ્ઞાન શાનદાર છે અને વિકેટકીપર તરીકે તમે પોતાની રમત પર ધ્યાન સારી રીતે રાખે છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં શાનદાર રીતે તેણે કામ કર્યુ છે. તે સારા કેપ્ટન તો હતો જ અને હાલના ખિલાડીઓ અને વિરાટને હંમેશા માર્ગદર્શન (ગાઇડ) આપે છે.''
2007માં વર્લ્ડ T-20 દરમિયાન એક ઑવરમાં 6 સિક્સર ફટકારનાર યુવરાજે કહ્યુ કે ''મને લાગે છે કે નિર્ણય લેવામાં ધોનીની હાજરી ખૂબ જ મહત્વની છે. ઓસ્ટ્રેલિયામાં તેણે ટૂર્નામેન્ટમાં સારુ પરફૉર્મન્સ કર્યુ અને ફરી જ આવુ હિટ પરફૉર્મન્સ આપે તેવું ઇચ્છુ છુ અને શુભકામનાઓ આપું છું.''
ધોનીને કયા સ્થાન પર બેટિંગ કરવી જઇએ તે વિશે પૂછતા કહ્યુ કે ''આ વિશે તમારે ધોનીને પૂછવુ જોઇએ કે તેણે કયા નંબર પર બેટિંગ કરવી છે.'' યુવરાજ IPLમાં મુબઇ ઇન્ડિયન્સમાંથી રમશે અને તેણે કહ્યુ કે ''કેપ્ટન રોહિત શર્મા પર દબાણ ઓછુ કરવાનો પ્રયત્ન કરીશ. મને લાગે છે કે હું મધ્યક્રમમાં યોગદાન આપી શકુ છુ તો તેનાથી રોહિત પર દબાણ ઓછુ થઇ જશે અને ઇનિંગની શરૂઆત કરી તે સારી રીતે રમી શકશે. આગળ જોઇએ કે અમારી બોન્ડિંગ કેવી રહે છે.''