પેપરલીક કેસ મામલે યુવરાજ સિંહ જાડેજાએ આજે ફરી મોટું સ્ટેટમેન્ટ આપ્યું. જેમા તેમણે કહ્યું કૌભાંડીઓ સામે હજું કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી. સાથેજ તેમણે આસીત વોરા રાજીનામું આપે તેવી પણ માગ કરી છે.
OMR શીટમાં સેટિંગ કરવામાં આવી રહ્યા છે: યુવરાજસિંહ જાડેજા
જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે કરી માંગ
પેપરલીક કેસમાં યુવરાજસિંહ જાડેજા દ્વારા ફરીથી મોટું નિવેદન આપવામાં આવ્યું છે. જેમા તેમણે કહ્યું છે કે પેપર લીક કેસમાં કોઈની સામે પણ કાર્યવાહી નથી થઈ જેથી જવાબદારો સામે કાર્યવાહી થાય તે ઘણું જરૂરી છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે પેપર લીક કેસના આરોપીઓ હજું પણ ફરાર છે જેથી પેપર ફુટવાને લઈને સરકારે શું કાર્યવાહી કરી છે તેને લઈને યુવરાજ સિંહ દ્વારા સવાલો કરવામાં આવ્યા છે.
જવાબદારો સામે કાર્યવાહીની માગ
વધુમાં યુવરાજસિંહ જાડેજાએ કહ્યું જે લોકોનો આ પેપર લીક કોંભાડમાં હાથ છે તેમનું રેકોર્ડિંગ અને તેમની માહિતી આધાર પુરાવા સાથે તેમની પાસે છે. સાથેજ તેમણે કહ્યું કે ભૂતકાળામાં પણ તેમણે અમુક નામ આપ્યા છે. સાથેજ તેમની સામે પુરાવાઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા. તેમ છતા તેમની સામે કોઈ કાર્યવાહી કરવાાં નથી આવી તેવું યુવરાજસિંહ જાડેજાનું કહેવું છે.
ભવિષ્યમાં કોઈ ગેરરીત ન થાય તેની જવાદારી સત્તા પક્ષની
ભવિષ્યમાં જે પણ પરિક્ષા લેવાશે તેમા કોઈ પણ પ્રકારની ગેરરીતી ન થાય તેને લઈને યુવરાજસિંહે કહ્યું તે જવાબદારી વર્તમાન સત્તા પક્ષ અને ગૃહરાજ્યમંત્રીની છે. સાથેજ પોલીસની પણ જવાબદારી છે કે કોઈ પણ પ્રકારની ગેરરીતી ન થાય. નહી તો ફરીથી જે વિદ્યાર્થીઓ મહેનતથી અભ્યાસ કરી રહ્યા છે તેમની સાથે અન્યાય થઈ શકે છે.
13 ફેબ્રુઆરીએ કોઈ ગેરરીતી ન થાય તેનું નિવેદન
13 ફેબ્રુઆરીના રોજ જે પરિક્ષા યોજાવાની છે તેને લઈને યુવરાજસિંહ જાડેજાએ નિવેદન આપતા કહ્યું કે અગામી પરિક્ષાઓમાં જે ગેરરીતી થઈ છે. તેવી આ પરિક્ષામાં ન થવી જોઈએ. OMR શીટમાં સેટીંગ કરવામાં આવી રહ્યું છે તેવું યુવરાજસિંહનું કહેવું છે જેમા સાબરકાંઠા અને અરવલ્લી, મહેસાણા, સુરેન્દ્રનગર, ભાવનગરમાં સેટિંગ થાય છે તે વાતનો તેમણે ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ડૉક્યુમેન્ટ વેરિફિકેશન થયા પચી નાણા આપવામાં આવે છે. જેથી કૌભાંડીઓને સજા મળવી પણ જરૂરી છે.
બિન સચિવાલયની પરિક્ષાના આરોપીઓ હજુ ફરાર
બિન સચિવાલયની પરિક્ષાની ફરિયાદને લઈને યુવરાજસિંહે કહ્યું કે આરોપીઓ હજુ પણ ફરાર છે. પેપરકાંડમાં હજુ સુધી કોઈ પણ અધિકારી સાથે કાર્યવાહી નથી થઈ શકી. જેથી 13 ફેબ્રુઆરીએ જે પરીક્ષા યોજાવાની છે તેની વિશ્વાસનીયતા પર તેમણને સવાલ ઉઠાવ્યા છે.
અસિતવોરા રાજીનામું આપે તેવી માગ
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે યુવરાજ સિહે આસિત વોરા વિશે કહ્યું કે અમારી માગણી છે કે તેઓ રાજીનામું આપે. કારણકે તેઓ ગમે તેટલી માહિતી પરંતુ આસિત વોરા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી. સાથેજ તેમણે એવા પણ આક્ષેપ લગાવ્યા કે તપાસના નામે માત્ર મળતિયાનો બચાવાની કામગીરી કરવામાં આવી રહી છે,