BCCI ના નિયમો અનુસાર સક્રિય ભારતીય ક્રિકેટર્સ વિદેશી ટી 20માં ભાગ લઇ શકે નહીં. ત્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધા બાદ પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે નવી ઇનિંન્ગની શરૂઆત માટે BCCI પાસે પહોંચ્યો છે.
યુવરાજે હવે સત્તાવાર રીતે બીસીસીઆઇના વિદેશી ટી20 લીગોમાં રમવાની પરવાનગી માંગી છે. ગત સપ્તાહે સન્યાસ લેનાર યુવરાજ સિંહે કહ્યું હતું કે એ વિદેશી લીગોમાં રમવા માટે ઇચ્છુંક છે.
BCCI ના એક સૂત્રએ જણાવ્યું હતું કે 'યુવરાજે બોર્ડને પત્ર લખ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને આઇપીએલથી સંન્યાસ બાદ મને નથી લાગતું કે બોર્ડને એને પરવાનગી આપવામાં કોઇ પરેશાની હશે.'
ગત સપ્તાહે સંન્યાસની જાહેરાત સમયે યુવરાજે કહ્યું હતું કે તે વિદેશી ટી 20 લીગમાં રમવા માંગે છે. તેણે કહ્યું કે, હું ટી 20 ક્રિકેટમાં રમવા માંગું છું. આ ઉંમરે હું મનોરંજન માટે થોડુંક ક્રિકેટ રમી શકું છું. હું હવે મારી જિંદગીનો આનંદ ઉઠાવવા માંગું છું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને આઈપીએલ વિશે વિચારવું ઘણું તણાવપૂર્ણ હોય છે.
બીસીસીઆઈના નિયમો મુજબ સક્રિય ભારતીય ક્રિકેટર્સ વિદેશી ટી 20 લીગમાં ભાગ નથી લઈ શકતા. આ પહેલા સંન્યાસ લીધા બાદ વીરેન્દ્ર સહેવાગ અને ઝહીર ખાન જેવા ક્રિકેટર યૂએઇમાં યોજાયેલી ટી 10 લીગમાં રમી ચૂક્યા છે. ગત મહિને ઈરફાન પઠાણ કેરેબિયન ક્રિકેટ લીગમાં ભાગ લેનારો પહેલો પ્લેયર બન્યો હતો જેનું નામ ડ્રોફ્ટમાં સામેલ હતું. તે સક્રિય ફર્સ્ટ ક્લાસ પ્લેયર હતો અને બીસીસીઆઈથી તેણે મંજૂરી નહોતી લીધી. આ પહેલા બીસીસીઆઈએ ઈરફાનના ભાઈ યુસુફ પઠાણને હોંગકોંગ ટી 30 લીગમાં રમવાની મંજૂરી નહોતી આપી.