પૂર્વ ભારતીય ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટર યુવરાજસિંહે પંજાબ ક્રિકેટ એસોસિએશન (PCA) ની વિનંતીથી નિવૃત્તિમાંથી પાછા ફરવાનો નિર્ણય લીધો છે. વર્લ્ડ કપ 2011 ના 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ' રહી ચૂકેલા યુવરાજે ગયા વર્ષે જૂનમાં ક્રિકેટના તમામ ફોર્મેટ્સમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી.
યુવરાજસિંહના ચાહકો માટે મોટા સમાચાર
ફરીથી જોવા મળી શકે છે મેદાન પર
PCA સેક્રેટરી પુનિત બાલી એવા પ્રથમ વ્યક્તિ હતા જેમણે પંજાબ ક્રિકેટના ફાયદા માટે 38 વર્ષ પૂરા થયા પછી નિવૃત્તિમાંથી પાછા ફરવાની ઓફર કરી હતી. એક જાણીતી વેબસાઈટને યુવરાજે કહ્યું, 'શરૂઆતમાં મને આ રજૂઆત સ્વીકાર કરવાનું મન ન હતું.
બીસીસીઆઈની મંજૂરી હોય તો...
તેમણે કહ્યું, 'મેં ઘરેલું ક્રિકેટ રમવાનું બંધ કરી દીધું હતું, જો કે મને બીસીસીઆઈની મંજૂરી હોય તો દુનિયાભરની અન્ય ડોમેસ્ટિક ફ્રેન્ચાઇઝી લીગમાં રમવાનું ચાલુ રાખવું હતું.'
યુવરાજે કહ્યું, "પરંતુ હું મિસ્ટર બાલીની વિનંતીને અવગણી શક્યો નહીં." મેં લગભગ ત્રણથી ચાર અઠવાડિયા સુધી આ વિશે વિચાર કર્યો."
છેલ્લા કેટલાક મહિનામાં પંજાબની યુવા ચોકડી શુભમન ગિલ, અભિષેક શર્મા, પ્રભાસીમરણ સિંહ અને અનમોલપ્રીત સિંહ સાથે નેટ પર પ્રેક્ટિસ સમયે યુવરાજને ફરીથી રમત પ્રત્યે પ્રેરણા અને પ્રેમનો અનુભવ થયો.
બાલીએ પીટીઆઈને આપ્યું નિવેદન
બાલીએ પીટીઆઈને જણાવ્યું હતું કે યુવરાજે આ મામલે બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીને પત્ર લખ્યો છે. તેમણે ખુલાસો કર્યો, કે "મને ખબર છે કે તેમણે બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીને નિવૃત્તિમાંથી પાછા ફરવા પત્ર લખ્યો છે."