રાજકોટના 17માં રાજવી તરીકે માંધાતાસિંહનું રાજતિલક કરવામાં આવશે. આગામી 28, 29 અને 30 જાન્યુઆરીએ માંધાતાસિંહનો રાજતિલક સમારોહ યોજાશે.. જેમાં દેશ-વિદેશથી મહેમાનો હાજરી આપશે.
માંધાતાસિંહનો રાજ્યાભિષેક થશે
17માં રાજવી તરીકે થશે રાજ્યાભિષેક
શાસ્ત્રોક્ત વિધિ સાથે કરાશે રાજ તિલક
ગુજરાત સહિત દેશના રાજવી પરિવારો પણ તેમાં ઉપસ્થિત રહેશે.રાજકીય, સામાજિક અને ઔદ્યોગિક આગેવાનોની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ માધાતાસિંહનો રાજ્યાભિષેક કરવામાં આવશે અને યુવરાજની નગરયાત્રા કરાવાશે.
જળાયાત્રા અને રાજાની નગરયાત્રા પણ નીકળશે
ઉલ્લેખનીય છે કે, 30 જાન્યુઆરીના વસંત પંચમીના દિવસે રાજતિલક કરવામાં આવશે. રાજસુય યજ્ઞની સાથે આ રાજતિલક વિધી ત્રણ દિવસ ચાલશે. ઉત્સવ-યજ્ઞનો પ્રારંભ અને જળયાત્રા તેમજ રાજાની નગરયાત્રા થશે. રણજિત વિલાસ પેલેસ ખાતે સર્વસમાજ દ્વારા દીપમાળા અને દીપ પ્રાગટય વિધી કરવામાં આવશે. રાજસૂય યજ્ઞમાં 300 બ્રાહ્મણો આહુતિ આપશે અને રાજાનો જળાભિષેક કરવામાં આવશે.