બોલીવૂડ અભિનેત્રી અને બિગબોસમાં કામ કરી ચૂકેલી યુવિકા ચૌધરીએ સોમવારે હિસાર પોલીસ સામે આત્મસમર્પણ કરી દીધું હતું.
યુવરાજ સિંહ બાદ આ એક્ટ્રેસની ધરપકડ
જાતિસૂચક ટિપ્પણી કરતાં મુશ્કેલીમાં
3 કલાક પૂછપરછ બાદ છોડી મૂકાઇ
3 કલાક થઇ પૂછપરછ
DSP વિનોદ શંકરે કહ્યું કે 3 કલાકની પૂછપરછ બાદ યુવિકા ચૌધરીને જામીન આપી દેવામાં આવી હતી. તેની સાથે 10 બાઉન્સર અને તેનો પતિ પ્રિન્સ નરુલા પણ હાજર હતો. તમને જણાવી દઇએ કે યુવિકાએ 25 મેના રોજ પોતાના બ્લોગ પર જાતિસૂચક ટિપ્પણી કરી હતી. બાદમાં અનુસુચિત જાતિ અધિકારી કાર્યકર્તા રજત કલસને યુવિકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
Hansi, Haryana | My client has joined the investigation as per the guidelines given by the High Court and she is on interim bail now (in a case of alleged offensive remarks against Scheduled Castes on a social media platform): Ashok Bishnoi, lawyer of actress Yuvika Chaudhary pic.twitter.com/l459AsCmsN
જામીન માટે કરી અરજી
યુવિકાએ હિસારની અનુસુચિત જાતિ તેમજ જનજાતિ અત્યાચાર અધિનિયમ હેઠળ સ્થાપિત વિશેષ અદાલતમાં અગ્રિમ જામીન માટે અરજી કરી હતી. જેને 11 ઓક્ટોબરે રદ્દ કરી દેવામાં આવી હતી. બાદમાં પંજાબ હરિયાણા હાઇકોર્ટે અભિનેત્રીને રાહત આપતા તેને જામીન આપી દીધા હતા.
વિશેષ અદાલતમાં ચાલાણ રજૂ કરશે પોલીસ
હવે પોલીસ યુવિકા ચૌધરી વિરુદ્ધ હિસરની વિશેષ અદાલતમાં ચાલાણ રજૂ કરશે. જ્યાં તેણે નિયમિત જામિન કરાવવી પડશે. યુવિકા વિરુદ્ધ જો આરોપ સાબિત થશે તો તેને 5 વર્ષની સજા પણ થઇ શકશે.
યુવરાજે કરી ટિપ્પણી
હાંસી પોલીસે યુવરાજની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ કરી હતી. જોકે હાઈકોર્ટના આદેશ પર તેને છોડી મૂકાયો હતો. આ કેસમાં હાઈકોર્ટે થોડા સમય પહેલા તેને આગોતરા જામીન આપ્યા હતા. પોલીસ તેની પાસેથી કેટલાક સવાલનો જવાબ માગ્યા હતા અને જામીનના કાગળિયા રજૂ કરતા તેને છોડી મૂકાયો હતો.
યુવરાજ એકલો આવ્યો ન હતો. તેમની સાથે ચાર-પાંચ સ્ટાફ સભ્યો અને સુરક્ષા કર્મચારીઓ સહિત વકીલો પણ ચંદીગઢથી હિસાર પહોંચ્યા હતા. થોડા કલાકોની કાર્યવાહી અને પૂછપરછ બાદ તે ફરી એકવાર ચંદીગઢ જવા રવાના થયો હતો.