સુરેન્દ્રનગર: રાજયકક્ષાના 72માં સ્વતંત્ર પર્વની ઉજવણી સુરેન્દ્રનગર ખાતે હાથ ધરવામાં આવનાર છે. ત્યારે વઢવાણમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યુવા સંમેલન યોજાયું હતું.
જીલ્લાભરમાંથી યુવાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારની વિવિધ અભ્યાસલક્ષી યોજનાઓ વિશે યુવાનોને માહિતગાર કર્યા હતા અને ભાજપ સરકાર દ્વારા શિક્ષિત યુવાનોને રોજગારી મળી રહે તે માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે તેમ જણાવ્યું હતું.
આ સાથે જ નરેન્દ્ર મોદી દ્રારા લોન્ચ કરેલ નમો ટેબ્લેટનું વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત આ ટેબ્લેટ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખુબજ સરળતા રહેશે.
આજના ડીજીટલ યુગમાં વિદ્યાર્થીઓને ઝડપથી તમામ પ્રકારની માહિતી પણ મળી રહેશે. તેમ જણાવી દરેકને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. સંમેલનમાં કુંવરજી બાવળીયા સાસંદ દેવજીભાઇ ફતેપરા સહિતના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આપને જણાવી દઇએ કે રાજયકક્ષાના 72માં સ્વતંત્ર પર્વની ઉજવણી સુરેન્દ્રનગર જિલ્લા ખાતે યોજાનાર છે ત્યારે હાલ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સુરેન્દ્રનગરના પ્રવાસે છે.
આ સાથે જ ગતરોજ રાજ્યપાલની હાજરીમાં એટહોમ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો આજરોજ મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા લોન્ચ કરેલ નમો ટેબ્લેટનું વિદ્યાર્થીઓને વિતરણ કર્યું હતું.