નવી દિલ્હી: કેદ્રમાં મોદી સરકારને 4 વર્ષ પુર્ણ થયા છે. મોદી સરકારના 4 વર્ષના કાર્યકાળમાં પ્રથમ વખત લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ નોટિસ આપવામાં આવશે.
આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા મામલે YSR કોંગ્રેસના 6 સાસંદોએ ગુરૂવારે લોકસભામાં મહાસચિવને નોટિસ આપી છે. આ મામલે હાલમાં સરકારથી ગઠબંધન તોડનારી પાર્ટી TDP પાર્ટી પણ YSPના સમર્થનમાં છે.
મહત્વનુ છે કે આ મામલે 50 સાંસદો અવિશ્વાસ દાખલ કરશે તો આજે આ મામલે ચર્ચા પણ થશે. આ મામલે YSRના સાંસદોએ ગુરૂવારે અન્ય વિપક્ષીય દળોના નેતાઓએ પોતાની પાર્ટીના અધ્યક્ષ જગનમોહન રેડ્ડીને પત્ર પણ પાઠવ્યુ છે. તેમણે અપીલ કરતા કહ્યુ છે કે જો આંધ્રપ્રદેશને એક વિશેષ રાજ્યનો દરજ્જો નહી મળે તો સાંસદ સત્રના છેલ્લા દિવસે તેઓ પોતાના પદથી રાજીનામુ આપશે.
નિયમો પ્રમાણે સૌથી પહેલા લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન YSR કોંગ્રેસના કોઇ પણ સાંસદને અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવા કહેશે ત્યારબાદ આશરે 50 સાંસદોએ એનું સમર્થન કરવા માટે ઊભા થવું પડશે. ત્યારે એની આગળની પ્રક્રિયા શરૂ થશે. પરંતુ એમાં પણ એક દાવ છે. આ પ્રસ્તાવ ત્યારે રજૂ થઇ શકે જ્યારે સદન ઓર્ડરમાં હોય. જો કોઇ સાંસદ આ દરમિયાન હંગામો કરી રહ્યો હોય તો પ્રસ્તાવ રજૂ કરવામાં મુશ્કેલી થઇ શકે છે.