આર્થિક ગતિવિધિઓમાં સુધારની સાથે જોબ માર્કેટમાં નવી નિયુક્તિઓની સ્થિતિમાં ઝડપથી સુધાર થઈ રહ્યો છે.
નોકરીયાતો માટે સારા સમાચાર
કોરપોરેટ કંપનીઓમાં પણ હાયરિંગ શરૂ
નોકરીના 50% અવસર વધ્યા
વૈશ્વિક મહામારી કોરોના વાયરસની બીજી લહેર બાદ આર્થિક ગતિવિધિઓમાં તેજી જોવા મળી રહી છે. ભારતીય અર્થવ્યવસ્થામાં પણ હવે રિકવરી થઈ રહી છે. દેશની કોરપોરેટ કંપનીઓમાં પણ હાયરિંગ શરૂ થવા લાગી છે. તેનાથી દેશમાં નોકરીયોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
અર્થવ્યવસ્થામાં સુધાર
રિક્રૂટમેન્ટ ફર્મ માઈકલ પેજ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, 'કેલેન્ડર યર 2021ના ત્રીજા મહિના વખતે ગયા વર્ષના આ સમયગાળાના મુકાબલે નવી નોકરીઓની તકમાં 14 ટકાનો વધારો નોંધવામાં આવી રહ્યો છે. નવા વેકેન્સીમાં થઈ રહેલા આ વધારામાં એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર (Engineering & Manufacturing Sector)માં સૌથી વધારે ભરતીઓ થઈ છે. ત્યાં જ ટેક્નોલોજી સેક્ટર (Tech Sector)માં પણ જોબના અવસર વધી રહ્યા છે. '
નોકરીના 50% અવસર વધ્યા
માઈકલ પેજ ઈન્ડિયાના મેનેજીંગ ડાયરેક્ટર નિકોલસ ડૂમૌલીને જણાવ્યું કે સપ્ટેમ્હર ત્રણ મહિનાની અંદર દેશમાં જોબ માટે નવી તકમાં 14 ટકા વધારો થયો છે. ત્યાં જ ગયા વર્ષે નોકરીમાંથી છુટા કરવાની તુલનામાં આ વર્ષે નોકરીઓની તકોમાં 50 ટકા વધારે મોટી વૃદ્ધિ નોંધવામાં આવી છે.
ટેક સેક્ટરમાં 58% સુધી વધ્યા જોબના અવસર
જોબ વધારા હેઠળ એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સૌથી વધું નોકરીઓ જોવા મળી રહી છે. ત્યાર બાદ ટેક્નોલોજી સેક્ટરમાં નોકરીઓની તકોમાં 58 ટકાનો વધારો થયો છે. ત્યાં જ લો ક્ષેત્રમાં 35 ટરા અને માનવ સંસાધન ક્ષેત્રમાં 25 ટકા વધારો થયો છે. આર્થિક ગતિવિધિઓમાં થઈ રહેલા સુધારા અને કોરોના વેક્સિનેશનના સતત વધતા આંકડા જોબ વધારાનું કારણ માનવામાં આવી રહ્યું છે.
મહત્વનું છે કે બીજી લહેર વખતે દેશમાં નવી ભરતિઓ બંધ થઈ ગઈ હતી. ફેબ્રુઆરી-માર્ચ 2021 વખતે ભારતીય કંપનીઓમાં તેજીથી ભરતીઓ બહાર પડી છે. ત્યાર બાદ કોરોના વાયરસની બીજી લહેર બાદ, સ્થિતિ વધારે બગડી ગઈ છે. જાન્યુઆરી-સપ્ટેમ્બર 2021 વખતે સપ્ટેમ્બર 2021 ત્રણ મહિનામાં નવી વેકેન્સીની સફ્તાર ખૂબ વધી રહી છે. હવે દેશની અર્થવ્યવસ્થામાં સુધારના સાથે લોકોની ખરીદશક્તિ પણ વધી છે.