નડિયાદમાં 2 શખ્સોને ઝઘડામાં છૂટા પડાવવા ગયેલા યુવકનું મોત થયુ હોવાની ઘટના બની છે. નડિયાદ શહેરના મંજીપરા રોડ પર ઘટના બની હોવાનું સામે આવ્યુ છે. જેમાં ગ્રાહક અને દુકાનદાર વચ્ચે નાણાની લેતીદેતી મામલે મારામારી થઈ હતી. આ મારામારી દરમિયાન ધક્કામુક્કી થતા યુવક નીચે પટકાયો હતો ત્યારે નીચે પટકાતા યુવકને માથાના ભાગે ભારે ઈજા પહોંચી હતી.
નડિયાદમાં 2 શખ્સોને ઝઘડામાં છૂટા પડાવવા ગયેલા યુવકનું મોત થયુ હોવાની ઘટના બની છે. નડિયાદ શહેરના મંજીપરા રોડ પર ઘટના બની હોવાનું સામે આવ્યુ છે. જેમાં ગ્રાહક અને દુકાનદાર વચ્ચે નાણાની લેતીદેતી મામલે મારામારી થઈ હતી. આ મારામારી દરમિયાન ધક્કામુક્કી થતા યુવક નીચે પટકાયો હતો ત્યારે નીચે પટકાતા યુવકને માથાના ભાગે ભારે ઈજા પહોંચી હતી.
આ ઘટનામાં મળતી માહિતી મુજબ મધ્યસ્થી કરવા ગયેલા યુવકને ગંભીર ઈજાઓ થઈ હતી. જેના કારણે તેનું મોત થવાનું બહાર આવ્યું હતું. આ મામલે નડિયાદ પોલીસે દુકાનદાર વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. મહત્વનું છે કે, દુકાનદાર અને ગ્રાહક વચ્ચે રૂપિયા 100ની લેતીદેતી મામલે ઝધડો થયો હતો.