ભાવનગર: કોંગ્રેસને સમર્થન આપવાના હાર્દિક પટેલના નિવેદન બાદ પાટીદારો દ્વારા સતત તેનો વિરોધ કરવામા આવ્યો. સુરત બાદ ભાવનગરમા પણ હાર્દિકનો પાટીદાર સમાજ દ્વારા રસ્તા પર ઉતરીને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામા આવ્યો તો સાથે જ હાર્દિકના પૂતળાનુ દહન કરવામા આવ્યુ.
આ ઘટનાની જાણ થતા પાસમા આગેવાનો ઘોઘા પોલીસ સ્ટેશન પહોંચી પૂતળા દહન કરનાર સામે ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનિય છે કે અનામતની માંગણી સાથે આંદોલન કરનાર હાર્દિક પટેલે રાજકારણમા પ્રવેશ કરાવા પાટીદાર સમાજને હાથો બનાવી પાટીદાર સમાજના લોકો સાથે વિશ્વાસધાત કરતા અને કોગ્રેસને સમર્થન આપતા પાટીદાર સમાજના લોકોમા રોષ જોવા મળ્યો હતો.
નોંઘનીય છે કે સમગ્ર ગુજરાતમાં અને દેશભરમાં પાટીદાર આંદોલનને લીધે હીરો બની બેઠેલા હાર્દિક પટેલનો પાટીદારો પણ સાથ છોડી રહ્યા છે. ચોતરફથી હાર્દિક ટીકાન સામનો કરી રહ્યો છે. ત્યારે ફરી એક વખત પાટીદાર સમાજ દ્વારા ભાવનગરમાં રસ્તા પર ઊતરીને સૂત્ર્ત્રોચાર સાથે વિરોધ કરવામાં આવ્યો.