દેશમાં ચાલી રહેલા અગ્નિપથ યોજનાના વિરોધની વચ્ચે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે રાજ્યની જનતાને યોગ દિવસની શુભકામના આપતા મોટી જાહેરાત કરી છે.
હરિયાણાના મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત
અગ્નિવીરો માટે હરિયાણામાં ઉત્તમ અવસર
ગેરેન્ટી સાથે હરિયાણા સરકારમાં મળશે નોકરી
આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે રાજ્યની જનતાને શુભકામના આપતા મોટી જાહેરાત કરી છે. 8માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ભિવાનીમાં આયોજીત રાજ્ય સ્તરીય સમારંભમાં સીએમે ઘોષણા કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, અગ્નિપથ યોજનાથી રિટાયર્ડ થનારા હરિયાણાના તમામ યુવાનોને નોકરી મળશે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે, આ તમામ યુવાનોને પોલીસ ભરતીમાં પ્રાથમિકતા આપીશું. અગ્નિપથથી રિટાયર્ડ યુવાનોને ગ્રુપ સીમાં ભરતી થશે.
Those (75% of agniveers who would return after 4 yrs of service) who want to get Haryana Govt jobs will be given guaranteed jobs. Those who want can get inducted into any cadre for Group C jobs. Otherwise, we have jobs in Police, which will be given to them: Haryana CM ML Khattar pic.twitter.com/a6zHurrtrF
તો વળી સીએમ ખટ્ટરે કહ્યું કે, આજનો દિવસ ભારત માટે ગૌરવનો દિવસ છે. યોગ ફક્ત શારીરિક ક્રિયા નથી, પણ આપણા મન, બુદ્ધિ, માનસિક, બૌદ્ધિક શારીરિક વિકાસ એ યોગથી જ થાય છે. એટલા માેટ આજે હરિયાણામાં દરેક બ્લોકમાં, જિલ્લામાં, સ્કૂલ અને કોલેજોમાં યોગ કાર્યક્રમ ચાલી રહ્યા છે.
તો વળી સીએમ ખટ્ટરે ટ્વીટ કરીને કહ્યું છે કે, અગ્નિપથ યોજનામાં 4 વર્ષ દેશની સેવા કર્યા બાદ પાછા આવનારા અગ્નિવીરોને ગેરેન્ટી સાથે હરિયાણા સરકારમાં નોકરી આપવામાં આવશે.