દેવભૂમિ દ્વારકાઃ કુરંગા ગામની પાસે ખાનગી ડિટર્જન્ટ કંપનીને મંજૂરી આપવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ખેડૂતો દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે. ગ્રામજનો દ્વારા મળીની એક યુવાને ભગવાન દ્વારકાધીશનુ વેશધારણ કરીને દ્વારકા પ્રાંત કચેરી ખાતે જઈને આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ હતુ.
મહત્વનુ છે કે દ્વારકાના કુરંગા ખાતે કંપનીને મંજૂરી મળતા કંપની દ્વારા કામની શરૂઆત કરવામાં આવી. આ કંપનીની શરૂઆત થયા બાદ ખેડૂતોએ કંપની પર જમીન પર દબાણ અને રસ્તાઓ બંધ કરવાની ફરિયાદો કરી હતી. આ મામલે ગ્રામજનો દ્વારા વહીવટી તંત્રને ફરીયાદ કરવામાં આવી હતી.
જોકે આ મામલે નિવારણ ન આવતા ગ્રામજનો પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા અને ભગવાન દ્વારકાધીશને સાથે રાખીને અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી. કુરંગા સ્થિત આવેલ ઘડી કંપની દ્વારા ખેડુતોને પોતાના માલિકીની જગ્યામા જવા દેવા માટે ભારે હાલાંકિનો સામનો કરી રહ્યા છે. ત્યારે ખેડુતોને ખેતરમા જવાના રાજમાર્ગ અને આંતરિક રસ્તા પણ બંધ કરેલા છે.
હાલ ચોમાસાની સિઝનમા વાવેતર માટે પણ આ કંપની દ્વારા તકલીફ અપાઇ રહી હોવાનો આરોપ ખેડુતો લગાવી રહ્યા છે. ત્યારે ઘડી કંપની દ્વારા કુરંગા તેમજ આસપાસના ગામોના સ્થાનિક બેરોજગાર યુવકોને અત્યાર સુધી કમ્પની દ્વારા કોઇ પણ જાતની રોજગારી આપવામાં આવી નથી.
જેને લઇને ખેડુતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખેડુતો દ્વારા રોજગારી અને રાજમાર્ગ સહિતના મુદ્દે આવેદન આપી તંત્ર પાસે અને ભગવાન દ્વારકાધીસ પાસે ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે.