મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પલૉયમેન્ટ ગેરન્ટી એક્ટ (MGNREGA) હેઠળ મજુરી કરનાર 18થી 30 વર્ષના યુવા મજુરોની સંખ્યામાં ઘટાડાનો સમયગાળો પૂર્ણ થયો છે અને હવે આવા યુવાઓની સંખ્યા ફરી ઝડપથી વધી રહી છે. ખાસ બાબત એ છે કે નોટબંધી અને જીએસટી લાગુ થવાના સમયગાળામાં આ બદલાવ જોવા મળ્યો છે.
MGNREGA હેઠળ યુવા મજુરોની સંખ્યામાં ફરી વધારો
નોટબંધી અને જીએસટી લાગુ થયા બાદ આવ્યો આ બદલાવ
21 ઓક્ટોબર 2019 સુધીમાં મનરેગા હેઠળ કામ કરનારા યુવાઓની સંખ્યા 57.57 લાખ પર પહોંચી
જોકે, એ સ્પષ્ટ થઇ શક્યું નથી કે મનરેગા અંતર્ગત મજુરી કરનાર આ યુવાઓની વધતી સંખ્યાનું અસલી કારણ શું છે. પરંતુ એક્સપર્ટ્સનું કહેવું છે કે આ ટ્રેન્ડ ગ્રામ્ય ક્ષેત્રોમાં નાણાકીય સંકટ અને નોકરીની ઘટતી સંભાવનાઓને દર્શાવે છે.
મનરેગા હેઠળ કામ કરનારા લોકોની ઉંમર સાથે જોડાયેલા આંકડાઓની સમીક્ષા કરવા પર એ વાતના સંકેત મળે છે કે 18થી 30 વર્ષના લોકોના વર્કફોર્સમાં નાણાકીય વર્ષ 2017-18 બાદ વધારો થવા લાગ્યો. નિશ્ચિત રોજગાર વાળી આ સ્કીમમાં યુવા મજુરો (18-30ની ઉંમર)ની સંખ્યા વર્ષ 2013-14માં 1 કરોડ હતી. જે 2017-18માં ઘટીને 58.69 લાખ રહી ગઇ.
જ્યારે આ સંખ્યા ફરી વધવા લાગી અને 2018-19માં આ સંખ્યા 70.71 લાખ પહોંચી ગઇ. યુવા મજુરોની સંખ્યામાં વધારાનો ટ્રેન્ડ વર્તમાન નાણાકીય વર્ષમાં પણ ચાલુ છે. 21 ઓક્ટોબર 2019 સુધીના આંકડાઓ પર નજર નાંખીએ તો મનરેગા હેઠળ કામ કરનારા આવા યુવાઓની સંખ્યા 57.57 લાખ પર પહોંચી ગઇ છે.
2013-14માં કુલ મનરેગા મજુરોમાં યુવા કારીગરોની ભાગીદારી 13.64 ટકા હતી. 2017-18માં આ આંકડા ઘટીને 7.73 ટકા થઇ ગઇ. જ્યારે 2018-19માં આ ભાગીદારી વધીને 9.1 ટકા જ્યારે 2019-20માં તે 10.06 ટકા થઇ ગઇ.
મનરેગા સાથે જોડાયેલી એનજીઓ મજુર કિસાન શક્તિ સંગઠનના સંસ્થાપક સભ્ય નિખિલ ડેએ કહ્યું. આ અર્થવ્યવસ્થામાં મંદીનો સમયગાળો છે. યુવાઓ માટે સ્થિતિ ઠીક નથી. તેમને પોતાનું શિક્ષણ લેવાની સાથે આજીવિકાનું પણ આયોજન કરવાનું છે. જ્યારે તેમને નોકરી નથી મળતી તો તે મનરેગા તરફ વળે છે. મનરેગા તેમના માટે કામચલાઉ કામની જેમ છે.
નોંધનીય છે કે, સરકારે નવેમ્બર 2016માં 500 અને 1000ની નોટોને બંધ કરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે 1 જુલાઇ 2017ના રોજ જીએસટી લાગૂ કરાયો હતો. જેની અર્થવ્યવસ્થા પર ઊંડી અસર પડી હતી. ઘણા એક્સપર્ટ્સ વર્તમાન મંદી સાથે તેને જોડીને જુએ છે. 2016-17માં જ્યાં જીડીપી ગ્રોથની ઝડપ 8.2 ટકા હતી. ત્યારે આવનારા વર્ષોમાં તે ધીમી થતી ગઇ. 2018-19માં ઇકોનોમીની ઝડપ 6.8 ટકા હતી.
આંકડાની રીતે જોઇએ તો, જાણવા મળે છે કે હાલના વર્ષોમાં મનરેગા અંતર્ગત કામ કરનાર મજુરોની કુલ સંખ્યામાં પણ વધારો થયો છે. 2013-14માં મનરેગા હેઠળ 7.95 કરોડ લોકોને રોજગાર મળ્યો. 2014-15માં આ સંખ્યા ઘટીને 6.71 કરોડ રહી ગઇ હતી. ત્યારબાદ આ વધવા લાગી. 2015-16માં મનરેગા મુજરોની સંખ્યા 7.21 કરોડ, 2016-17માં 7.65 કરોડ અને 2018-19માં તે 7.76 કરોડ થઇ ગઇ. વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન, મનરેગા હેઠળ કામ કરનારા કુલ મજુરોની સંખ્યા 21 ઓક્ટોબર 2019 સુધી 5.72 કરોડ પહોંચી ચુકી છે.