સુરતમાં વ્યાજખોરોના ત્રાસથી એક યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. વ્યાજખોરોના ત્રાસથી પ્રશાંત ગાંધી યુવકે 9મેના રોજ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યારે આજે યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
મૃતક યુવક પ્રશાંતે અઢી વર્ષ પહેલા 10 ટકાના વ્યાજે સંજય નામના વ્યક્તિ પાસેથી 4.50 લાખ રૂપિયા લીધઆ હતા. ત્યારે પરિવારજનોનો આક્ષેપ છે કે, સંજયે વ્યાજ સહિત વધુ રકમની માગ કરી હતી. જેના કારણે યુવકે આત્મહત્યા કરવા માટે મજબૂર બનવું પડ્યું. મૃતક પ્રશાંતના પરિવારજનોએ વ્યાજખોર સંજય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેને લઇ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે...