પાનકાર્ડ એક વિશિષ્ટ ઓળખ કાર્ડ છે કે જેને સ્થાયી ખાતા સંખ્યા પણ કહેવાય. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જનતા માટે પાનકાર્ડ અને આધારકાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2019 નક્કી જ છે. પરંતુ આયકર વિભાગ જલ્દીથી અંદાજે 20 કરોડ લોકોનાં પાન કાર્ડને બંધ કરી શકે છે. તો આવો જાણીએ કે કેવી રીતે?
આયકર વિભાગને એવી શંકા છે કે ભારતમાં ખૂબ મોટી સંખ્યામાં પાનકાર્ડ ડુપ્લીકેટ હોય છે. એટલાં માટે તેવાં લોકોનાં પાનકાર્ડને બંધ કરી શકાય તેવી શક્યતા છે કે જેઓએ 30 સપ્ટેમ્બર 2019 સુધી પોતાનું પાન કાર્ડ આધારકાર્ડ સાથે લિંક કરાવ્યું ના હોય. તો આવો જાણીએ કે આખરે શું છે આ સમગ્ર મામલો અને આપ પાનકાર્ડને કેવી રીતે આધારકાર્ડ સાથે લિંક કરી શકો છો.
તમને જણાવી દઇએ કે કુલ 44 કરોડ પાનકાર્ડ ખાતાધારક છે કે જેમાંથી 20 કરોડ કાર્ડ એવાં પણ છે કે જેઓએ અત્યાર સુધી તેને આધાર સાથે લિંક નથી કરેલ. આયકર વિભાગનાં અનુસાર 24 કરોડ પાનાકાર્ડ લિંક કરી દેવાયાં છે.
ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરવાનો પણ સમય હવે આવી ગયો છે. ખાતાધારકોને માટે 31 જુલાઇ 2019 સુધી ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે પાનકાર્ડને આધાર સાથે લિંક કરવું અનિવાર્ય છે. એટલે કે સરકારે ભલે પાનકાર્ડને આધાર સાથે લિંક કરવાની અંતિમ તારીખને 30 સપ્ટેમ્બર રાખી હોય, પરંતુ રિટર્ન ભરવા માટે ખાતાધારકોને 31 જુલાઇ પહેલાં પાનકાર્ડને આધાર સાથે લિંક કરવાનું જ રહેશે.
ઘરે બેઠા આ રીતે કરો લિંક:
પાનકાર્ડને આધાર સાથે લિંક કરવા માટે આપે આયકર વિભાગની વેબસાઇટ પર જવાનું રહેશે કે જ્યાં 'લિંક આધાર'નો એક વિકલ્પ મળશે. જેનાં પર રજિસ્ટ્રેશન કર્યા બાદ આપ પ્રોફાઇલ સેટિંગમાં જાઓ. અહીં આપને પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાનો વિકલ્પ મળશે. હવે આધાર નંબર, પાનકાર્ડ નંબર અને કૈપ્ચા કાર્ડ ભર્યા બાદ 'લિંક આધાર' ઓપ્શન પર ક્લિક કરો. ત્યાર બાદ SMSને આધાર આપ પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરી શકો છો. આયકર વિભાગ ગ્રાહકોને 567678 અથવા 56161 પર SMS પર આધારને પાન સાથે લિંક કરવાની સુવિધા આપે છે.