જો તમે સોનાની જ્વેલરીને લઈને સરકારના નવા નિયમોનું પાલન નહીં કરો તો તમને 1 વર્ષની જેલની સજા કે પછી 1 લાખ રૂપિયાથી વધારેનો દંડ ભરવો પડી શકે છે.
તમારા ઘરમાં પણ છે સોનાની જ્વેલરી તો જાણો નિયમ
નવા હોલમાર્કિંગના નિયમોને લઈને વધી શકે છે મુશ્કેલીઓ
સરકારે નિયમનું પાલન ન કરનારા માટે દંડ અને સજાની જોગવાઈ કરી છે
જો તમે સોનાના ઘરેણા ખરીદવા માટે જ્વેલરી શો રૂમમાં જાઓ છો તો તમારા મનમાં જે બજેટ છે તેને વિશે જ્વેલર્સને જણાવો અને પછી તે અલગ અલગ વસ્તુઓ તમને બતાવશે. તમારા શહેરમાં સોનાની કિંમત કમોબેશ જ્વેલર્સના નક્કી કર્યા અનુસારની હશે, કહેવાની જરૂર નથી કે તમે શુદ્ધ સોનાની કિંમત ચૂકવી રહ્યા છો. તમે શુદ્ધ સોનું ખરીદવા માટે સરકારના નિયમોનં પાલન કરો તે જરૂરી છે. સરકારે ગોલ્ડ હોલમાર્કિંગને અનિવાર્ય કરી દીધું છે. એવામાં તમે ખરીદી કરવા જઈ રહ્યા છો તો તેની પહેલા નિયમોને જાણી લેવા જરૂરી છે. કેન્દ્ર સરકારે સોનાની જ્વેલરી પર બીઆઈએસ હોલમાર્કિંગને અનિવાર્ય કર્યું છે.
શું કહે છે જાણકારો
સોનાની ખરીદ પ્રક્રિયાને તોડે છે અને શુદ્ધ સોનાના આભૂષણોની ઓળખ કરવાની રીત અને સાધનોની વાત કરીએ છીએ તો દેશમાં નવા હોલમાર્કિંગના નિયમ અને તમે જૂના આભૂષણ પ્રાપ્ત કરવા ઈચ્છો તો જૂના ઘરેણા મેળવવા ઈચ્છો છો તો જાણો હોલમાર્કનું શું થશે.
હોલમાર્કિંગના શું છે ફાયદા?
હોલમાર્કથી સીધો ફાયદો સોનું ખરીદનાર ગ્રાહકોને થાય છે, જેમાં હોલમાર્કવાળા દાગીના તમે વેચવા જશો તો ડેપ્રિસિએશન કોસ્ટ નહીં કપાય અને જો ડેપ્રિસિએશન કોસ્ટ નહીં કપાય તો તમારા સોનાનું પુરેપુરુ વળતર મળશે. હોલમાર્કથી તમે જે સોનું ખરીદો છો તેની ગુણવત્તાની ગેરંટી હશે સાથે જ દેશમાં ખોટું સોનું વેચતા લોકો પર લાગશે રોક અને હોલમાર્કથી ગ્રાહકો સાથે થતી છેતરામણી બંધ થશે.
ગોલ્ડ હોલમાર્કિંગ શું છે
કેન્દ્ર સરકારે કહ્યું કે ગોલ્ડ હોલમાર્કિંગના આધારે દેશના દરેક સોના વ્યાપારી સોનનાા ઘરેણા કે કલાકૃતિ વેચવા માટે બીઆઇએસ સ્ટેન્ડર્ડને માનકને પૂરા કરો અને સાથે વ્યાપારી આ માનકોને પૂરા નહીં કરે અને તેના વિરોધમાં સખત કાર્યવાહી કરશે. આ સાથે 14 કેરેટ, 18 કેરેટ અને 22 કેરેટની શુદ્ધતાના સોનાનું હોલમાર્કિંગ કરાશે. તમે સોનાના ઘરેણાની શુદ્ધતાને નક્કી કરવા માટે આભૂષણના વસ્તુ પર કેરેટનો લોગો ફરજિયાત રહેશે. જો આ નહીં દેખાય તો જ્વેલર્સને 10 ગણો વધારે દંડ ભરવો પડી શકે છે.
થઈ શકે છે જેલ
જો કોઈ પણ સરકારની તરફથી બનાવેલા નિયમોનું પાલન નહીં કરે તો તેની પર બીઆઈએસ એક્ટ 2016ના સેક્શન 29 ના આધારે 1 વર્ષની જેલ કે 1 લાખ રૂપિયાથી વધારેનો દંડ થઈ શકે છે.
ઘરમાં રહેલા સોનાનું શું થશે?
ગોલ્ડ હોલમાર્કિંગના નિયમોની અસર વેપારીઓને થશે ગ્રાહકોને નહીં, નવા નિયમો જ્વેલર્સ માટે છે, ગ્રાહકો માટે નથી. એટલે કે જો તમારા ઘરમાં રહેલા દાગીનાના વેચાણમાં નવા નિયમની કોઈ અસર નહીં થાય. જો કોઈ પાસે ઘરમાં હોલમાર્ક વગરનું સોનું હશે તો ટેન્શન લેવાની જરૂર નથી. તમારી પાસે રહેલું હોલમાર્ક વગરનું સોનું સરળતાથી રાખી શકશો અને પહેલાની માફક જ તમે જ્વેલર્સને ત્યાં સોનું વેચી શકશો. નિયમ મુજબ માત્ર જ્વેલર્સ જ હોલમાર્કિગ વગરનું સોનું નહીં વેચી શકે.