એસબીઆઈ ઓછા વ્યાજ દર વાળી હોમ લોનની સ્કીમ પાછી ખેંચી રહી છે. તેમજ અન્ય બેંકો પણ આ કરવા જઈ રહી છે.
એસબીઆઈના હોમ લોનના ગ્રાહકોનો વ્યાજ દર એક ચતૃર્થાંશ ટકા વધી ગઈ
આ બેંક ઓછા વ્યાજ દર વાળી હોમ લોનની સ્કીમ પાછી ખેંચી રહી છે
બીજી બેંકો પણ આ પગલુ ઉઠાવી શકે છે
મોટાભાગના લોકો લોન પર ઘર, ગાડી કે અન્ય ચીજો ખરીદતા હોય છે. તેવામાં વ્યાજ દર ખૂબ મહત્વનો હોય છે. જેના આધાર પર ઈએમઆઈ નક્કી થાય છે. ત્યારે સમાચાર એ છે કે વ્યાજના દરમાં વધારો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે હાલમાં એસબીઆઈના હોમ લોનના ગ્રાહકોનો વ્યાજ દર એક ચતૃર્થાંશ ટકા વધી ગઈ છે. એસબીઆઈ ઓછા વ્યાજ દર વાળી હોમ લોનની સ્કીમ પાછી ખેંચી રહી છે તેવામાં વ્યાજ દર પહેલાના સ્તર પર આવી જશે.
બીજી બેંકો પણ વધારે શકે છે વ્યાજ દર
એક બિઝનેસ અખબાર મુજબ એસબીઆઈ બાદ અન્ય બેંકના વ્યાજના દરોમાં વૃદ્ધિનું એલાન કરી શકે છે. પૈસા બજારના સીઈઓ અને સહ સંસ્થાપક નવીન કુકરેજા મુજબ હમ લોનની વિશેષ સ્કીમ પાછી ખેંચવાથી વ્યાજદરમાં ફક્ત 25 બેસિક પોઈન્ટનું અંતર રહેશે. પરંતુ આની વ્યાપક અસર પડશે. કેમ કે બીજી બેંકો પણ આ પગલુ ઉઠાવી શકે છે. હોમ લોન આપનારી મોટી કંપની એચડીએફસીએ 29 મહિના બાદ ફિક્સ ડિપોજિટ સ્કીમ પર વ્યાજ દર 10 -25 બેસિસ પોઈન્ટ વધારી દીધા છે. તેવામાં ફંડ પર ખર્ચ વધ્યો છે. જેની સીધી અસર વ્યાજ દર પર પડશે. આની સીધી અસર લોનના ઈએમઆઈ પર પડશે.
જાણો નવા ગ્રાહકોએ શુ કરવુ જોઈએ
જ્યારે વ્યાજ દર વધી રહ્યા છે. ત્યારે ફિક્સ રેટ પર લોન લેવુ ફાયદાકારક રહેશે. બેંક બજારના સીઈઓ આદિલ શેટ્ટીના જણાવ્યાનુસાર વ્યાજના દરો વધી રહ્યા છે. એટલા માટે ફિક્સ રેટ પર હોમ અથવા બીજી લોન લેવી ફાયદાકારક રહેશે. આમાં ઈન્ટરેસ્ટ રેટ ઓછો બની રહેશે. હોમ લોનના નવા ગ્રાહકોની પાસે વધારે વિકલ્પ નથી કેમ કે કેટલીક જ સંસ્થા ફિક્સ રેટ પર હોમ લોન આપે છે.
જાણો હાલના ગ્રાહકોએ શું કરવું જોઈએ
વ્યાજ દરો વધવા પર બેંક સામાન્ય રીતે ગ્રાહકોને લોનના સમય અથવા ઈએમઆઈ વધારવાનો વિકલ્પ આપે છે. જો કે લોનનો સમય વધારવાનો વિકલ્પ તમામ ગ્રાહકોને નથી મળતો. મળતી મહિતી મુજબ બેંક સામાન્ય રીતે લોનના મુખ્ય સમયગાળો અને ગ્રાહકના રિટાયરમેન્ટના સમયથી વધારે વધારવાની પરવાનગી નથી આપતી. એટલા માટે આ ગ્રાહકોની પાસે અપફ્રંટ પેમેન્ટ કરી ઈએમઆઈનો સમય સ્થિર રાખવા ઉપરાંત બીજો વિકલ્પ નથી. જો તમારી માસિક આવક પરવાનગી આપે તો તમને લોનના સમયમાં ફેરફાર નહીં કરવો જોઈએ. તમારે બેંકને ઈએમઆઈ વધારવા માટે કહેવુ જોઈએ. આનાથી તમારા વ્યાજની ટોટલ રકમ પણ નહીં વધે.