અમદાવાદમાં શહેરમાં શિક્ષિત પરિવાર સાથે લગ્નના એક મહિનામાં જ સાસરીયાએ પરણીતાને હેરાન કરવાનું શરુ કર્યું અને વાત વાતમાં તેમને મારવામાં આવતી હતી અને હવે ઘરમાંથી કાઢી મૂકી તેવો કિસ્સો સામે આવ્યો છે.
લગ્ન બાદ પરણિતાએ એક પુત્રીને જન્મ આપ્યો છે
2018માં લગ્ન થયા હતાં
હાલ પરણિતાના માતા-પિતાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે
શહેરમાં શિક્ષિત પરિણીતાનાં લગ્નના એક મહિના બાદ તેના પતિ તેમજ સાસરિયાંએ તું ઠીંગણી છે, તું ગાંડાની જેમ રહે છે, તું દહેજ ઓછું લાવી છે, તેમ કહી માર મારી ઘરમાંથી કાઢી મૂકી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નવરંગપુરા વિસ્તારમાં રહેતી અને સાઇકોલોજીનો અભ્યાસ કરેલ ૩૦ વર્ષીય યુવતીનાં ઝાલોદ ખાતે વર્ષ ર૦૧૮માં લગ્ન થયાં હતાં. લગ્ન બાદ પરિણીતાએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. પુત્રી હાલ ૧૧ મહિનાની છે. ઘરમાં કોઈક કારણસર સાસુ, સસરા અને પતિને પરિણીતા સાથે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા. ત્યારબાદ પિરણીતા અને તેના પતિ ઝાલોદથી અમદાવાદ ખાતે રહેવા આવી ગયાં હતાં. તેનાં સાસુ-સસરા અમદાવાદ આવતાં ત્યારે તેને કહેતાં હતાં કે તું દહેજ ઓછું લાવી છું અને તું ઠીંગણી છે, તેં સાઇકોલોજીનો અભ્યાસ કરેલ છે એટલે તું ગાંડાની જેમ રહે છે, સાસરિયાં અને પતિએ ત્રાસ આપીને ત્રણ મહિના પહેલાં ઘરમાંથી કાઢી મૂકી હતી.
યુવતી જ્યારે ગર્ભવતી હતી ત્યારે પણ સાસિરયાં તેની સાથે મારઝૂડ કરતાં હતાં અને એક્ટિવા તથા રૂપિયા પંદર લાખ તેમજ લેપટોપ પણ મંગાવી આપવાની માગણી કરતાં હતાં. ત્યારબાદ સમગ્ર હકીકત પરિણીતાએ પિયરમાં જણાવી ત્યારે તેના માતા-પિતાએ પોલીસમાં ફિરયાદ કરવા જણાવ્યું હતું. હાલ નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.