EPFO નિયમ અનુસાર તમારા PFના પૈસા કાઢશો તો તેના પર ટેક્સ નહી લાગે. તેના માટે નવો વેજ કોડ લાગૂ થશે.
EPF નિયમોમાં થઇ શકે છે ફેરફાર
કરોડપતિ બનીને થશો રિટાયર
66 ટકા વધારે મળશે PF
બેઝીક સેલેરી 50 ટકાથી ઉપર હશે અને તેના પર PF યોગદાન કપાશે તો PF ફંડ પણ વધાર હશે. એટલે કે કર્મચારી રિટાયર થશે ત્યારે તેની પાસે પહેલા કરતા વધારે PF બેલેન્સ હશે.
માની લો કે તમારી ઉંમર 35 વર્ષ છે અને તમારી સેલેરી 60000 છે તો આ કેસમાં 10 ટકાનું વાર્ષક વ્યાજ 8.5 ટકા માનીએ કો 25 વર્ષ બાદ તમારુ પીએફ 1,16,23,849 રૂપિયા થશે.
66 ટકા વધારે PF
હવે હાલમાં EPF યોગદાનથી તેની PF બેલેન્સ સાથે તુલના કરીએ તો રિટાયરમેન્ટ બાદ PF બેલેન્સની રકમ 6974309 રૂપિયા થાય છે. એટલે કે નવા વેજ રુલથી PF બેલેન્સ જુના ફંડથી ઓછામાં ઓછા 66 ટકા વધારે હશે.
ગ્રેચ્યુટી
નવા વેજ કોડ પ્રમાણે કર્મચારીઓની ગ્રેચ્યુટીમાં પણ બદલાવ થશે. તેનુ કેલક્યુલેશન હવે મોટા બેઝ પર થશે. જેમાં બેઝીક પે સાથે બીજા ભથ્થા વગેરે સામેલ છે. આ બધુ જ કંપનીની ગ્રેચ્યુટી ખાતામાં જોડાશે.
પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીએફ એ દરેક નોકરિયાત લોકોની બચતનો સૌથી મહત્વપૂર્ણ હિસ્સો માનવામાં આવે છે. ખરાબ સમયમાં આ રકમ કામ આવે છે. જોકે, હવે માત્ર નોકરિયાત લોકોને જ નહીં પરંતુ અન્ય લોકો પણ પીએફનો લાભ લઈ શકશે.
પીએફ પર સૌથી વધારે વ્યાજ મળે છે. પરંતુ તમને જણાવી દઈએ કે, હવે માત્ર નોકરિયાત લોકોને જ નહીં પરંતુ અન્ય લોકો પણ પીએફનો લાભ લઈ શકશે. ટૂંક સમયમાં જ સરકાર એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) હેઠળ એક અલગ ફંડ બનાવી શકે છે.
આ ફંડ એ લોકો માટે હશે જેઓ પોતાની સ્વતંત્ર ઇચ્છાથી આ યોજનામાં ભાગ લેવા માંગતા હોય. હકીકતમાં સરકાર ઇચ્છે છે કે દરેકને પીએફનો લાભ મળી શકે. નવા ફંડ માટે એક યોજના તૈયાર કરવામાં આવી રહી છે. જેનો દરેક વ્યક્તિ લાભ લઈ શકે છે.
એક અલગ ફંડ તૈયાર થશે
હકીકતમાં હજી સુધી EPFOમાં નોંધાયેલા 6 કરોડ લોકોને જ પીએફનો લાભ મળે છે. પરંતુ સરકાર ઇચ્છે છે કે તેનો લાભ એવા તમામ લોકોને પણ મળવો જોઈએ જેઓ પીએફ જેવા રિટર્નમાં રોકાણ કરી રહ્યાં છે. ઇપીએફઓ હેઠળ 8.5 ટકા વ્યાજ મળે છે. જ્યારે અન્ય બચત યોજનાઓમાં વ્યાજ દર 7 ટકાની નજીક છે.
પ્રોફેશનલ્સને લાભ મળતો નથી
અત્યારે કંપનીમાં કામ કરતા કર્મચારીઓને જ ઇપીએફઓ હેઠળ લાભ મળે છે. જ્યારે ડોકટરો, સીએ, વકીલ જેવા પ્રોફેશનલ્સને આનો લાભ મળતો નથી. તેથી, આવા નવા ફંડ માટેની એક યોજના તૈયાર કરવામાં આવી રહી છે, જેમાં દરેકને પીએફ જેવા લાભ મળી શકે છે. જોકે, તમે તેમાં રોકાણ કરો તો જ તેનો ફાયદો મળશે.
હાલના કાયદામાં સુધારો થશે
નિષ્ણાંતોના મતે, નવા નિયમો લાગુ કરવા માટે હાલના કાયદામાં સુધારા કરવા પડશે. ઉદાહરણ તરીકે, વ્યક્તિઓ ઇપીએફઓની નવી યોજના માટે સબ્સ્ક્રાઇબ કરશે, તેઓને આ નવા ભંડોળની કમાણીના આધારે વળતર મળશે. આ સિવાય પૈસા ઉપાડવા માટેની શરતો અને શરતો પણ આ લોકો માટે અલગ હોઈ શકે છે. આ નિયમનો અમલ કરવા માટે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના હાલના કાયદામાં સુધારો કરવો પડશે. કારણ કે વર્તમાન નિયમો અનુસાર, 24 ટકા ફાળો એટલે કે 12-12 ટકા યોગદાન એમ્પ્લોયર અને કંપની દ્વારા કરવામાં આવે છે.