ખાવાની ખોટી આદતો અને બદલાતી જીવનશૈલીના કારણે લોકોમાં આંખના રોગો ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં અમે તમને અહીં જણાવીશું કે દૂરની દ્રષ્ટિ નબળી પડવાના કારણો શું હોઈ શકે છે?
ઝડપથી વધી રહ્યા છે આંખોના રોગો
દૂરની દ્રષ્ટિ નબળી પડવાના આ છે કારણો
તમને પણ હોય આ આદતો તો આજે જ બદલી નાખજો
ખરાબ ભોજન અને બદલાતી જીવનશૈલીના કારણે લોકોમાં આંખના રોગો ઝડપથી વધી રહ્યા છે. ત્યાં જ આજના સમયમાં મોટાભાગના લોકો દૂરની નજર કમજોર થવાની સમસ્યાથી પરેશાન છે. નજર કમજોર થવાના ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે ડિજિટલ ગેજેટ્સનો વધુ પડતો ઉપયોગ, ધૂમ્રપાન અને ભોજનમાં ભેળશેળ. આવી સ્થિતિમાં અમે તમને અહીં જણાવીશું કે દૂરની દ્રષ્ટિ નબળી થવાના કારણો શું હોઈ શકે છે, ચાલો જાણીએ.
દૂરની નજર કમજોર થવાના લક્ષણો
જો દૂરની દ્રષ્ટિ નબળી હોય તો શરૂઆતમાં તમને અસ્પષ્ટ કે ઝાંખુ દેખાવું જેવી સમસ્યા થઈ શકે છે. પરંતુ જેમ જેમ આ સમસ્યા વધે છે તેમ તેમ તમારા લક્ષણો પણ ગંભીર થવા લાગે છે. આવી સ્થિતિમાં ભૂલથી પણ આ લક્ષણોને અવગણશો નહીં.
વારંવાર આંખો પટપટાવવી
ઝાંખુ દેખાવવું
ડ્રાઇવિંગ કરતી વખતે તમારી સામેની વસ્તુઓ જોવામાં મુશ્કેલી
આંખોથી પાણી આવવું
ગંભીર માથામાં દુખાવો
દૂરની વસ્તુઓને યોગ્ય રીતે ન જોઈ શકવું
વાંચતી વખતે પાપણ પટપટાવવી.
દૂરની નજર કમજોર થવાથી બચવા માટે ટિપ્સ
ધૂમ્રપાન અને ભોજનમાં ભેળશેળ દૂરની દ્રષ્ટિ ગુમાવવાનું સૌથી મોટું કારણ છે. આવી સ્થિતિમાં કેટલીક આદતોમાં સુધારો કરીને તમે દૂરની દ્રષ્ટિને નબળી પડવાથી બચાવી શકો છો. બીજી તરફ તમારે દૂરની દ્રષ્ટિ નબળી ન પડે તે માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
સમયાંતરે તમારી આંખોની તપાસ કરાવો.
તમારી આંખોને સૂર્યના યુવી કિરણોથી બચાવવા માટે બહાર જતી વખતે સનગ્લાસનો ઉપયોગ કરો.
લેપટોપ અથવા ફોનનો ઉપયોગ કરતી વખતે વચ્ચે વિરામ લો.
પુસ્તક વાંચતી વખતે સારા પ્રકાશમાં બેસો
ડાયેટમાં ફળો અને લીલા શાકભાજીનો સમાવેશ કરો.
ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ સમયાંતરે તેમની આંખોની તપાસ કરાવવી જોઈએ.