ગ્રાહક એટીએમથી પૈસા નિકાળવાનો પ્રયત્ન કરે છે. ત્યારે એના ખાતામાંથી પૈસા તો કપાઇ જાય છે, પરંતુ એટીએમથી પૈસા નિકળતા નથી. જો તમારી સાથે પણ એવું થાય છે તો રિઝર્વ બેંક દ્વારા બનાવવામાં આવેલો આ નિયમ તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે.
આજે પણ બેંક ગ્રાહકોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. બેંકો દ્વારા સતત કરવામાં આવી રહેલા પ્રયત્નો છતાં ગ્રાહકોની સમક્ષ કોઇને કોઇ સમસ્યા આવી જાય છે. ઘણી વખત એવુ પણ થાય છે કે જ્યારે બેંક ગ્રાહક એટીએમથી પૈસા નિકાળવાનો પ્રયત્ન કરે છે. ત્યારે એના ખાતામાંથી પૈસા તો કપાઇ જાય છે, પરંતુ એટીએમથી પૈસા નિકળતા નથી. જો તમારી સાથે પણ એવું થાય છે તો રિઝર્વ બેંક દ્વારા બનાવવામાં આવેલો આ નિયમ તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે.
આરબીઆઇએ આ મામલાઓથી નિપટવા માટે નિયમ બનાવ્યો છે. આ નિયમ અનુસાર જેટલા દિવસમાં તમારા પૈસા આવશે એટલા દિવસો માટે બેંકે દરરોજ વળતર તરીકે તમને 100 રૂપિયા વધારે આપવા પડશે.
જણાવી દઇએ કે આરબીઆઇના આ સંદર્ભમાં એક સમય સીમા પણ નક્કી કરી રાખી છે. મે 2011માં આરબીઆઇની તરફથી જારી કરવામાં આવેલા નિર્દેશ અનુસાર, એવી ફરિયાદ મળવાના સાત કાર્યદિવસોની અંદર બેંકને એ ગ્રાહકના ખાતામાં પૈસા પાછા કરવા પડશે.
બેંક પાસેથી પેનલ્ટી મેળવવા માટે તમારા ટ્રાન્ઝેક્શન ફેલ બાદ 30 દિવસની અંદર ટ્રાન્ઝેક્શનની ચિઠ્ઠઈ અથવા અકાઉન્ટ સ્ટેટમેન્ટની સાથે ફરિયાદ દાખલ કરાવવી પડશે. ત્યારબાદ તમારે બેંકના અધિકૃત કર્મચારીને તમારા એટીએમ કાર્ડની જાણકારી આપવી પડશે. જો સાત દિવસની અંજર તમારા પૈસા પાછા આવતા નથી તો તમારે એક ફૉર્મ ભરવું પડશે, જેને ભરતા જ તમારી પેનલ્ટી ચાલૂ થઇ જશે.
આટલું જ નહીં આરબીઆઇએ એવું પણ કહ્યું હતું કે બેંકોએ દંડની રકમ ગ્રાહકોના ખાતામાં પોતે જ નાંખવી પડશે. એમાં સૌથી ખાસ વાત એ છે કે જે દિવસે ફેલ થયેલા ટ્રાન્ઝેક્શનના પૈસા તમને પાછઆ મળશે, એ દિવસે દંડની રકમ પણ તમારા અકાઉન્ટમાં ક્રેડિટ થઇ જશે.