જમ્મૂ-કશ્મીરમાંથી ધારા - 370ને હટાવામાં આવી છે. આ સાથે જ લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો છે. લદ્દાખને અલગ કરવાથી ભારતને શું ફાયદો થશે તે અંગે યુવાનોએ જણાવ્યું હતું કે, કેન્દ્રશાસિત બનવાથી તેની સીધી સત્તા કેન્દ્ર સંભાળશે. આઝાદીના 72 વર્ષ બાદ હવે લદ્દાખના લોકો વિકાસનો અહેસાસ કરી શકશે. આ સાથે જ ટુરીઝમની રીતે પણ લદ્દાખનો ભરપુર વિકાસ થશે. દેશના લોકો પણ કશ્મીરમાં વસવાટ કરી શકશે. હોટેલ અને ઉદ્યોગો પણ આકાર પામશે.