કેરળમાં કોરોના વાયરસની સાથે સાથે નિપાહ વાયરસનો પણ હાહાકાર જોવા મળી રહ્યો છે. ત્યારે રિસર્ચમાં સામે આવ્યું છે કે નાની ઉંમરના લોકોમાં નિપાહ વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાય છે.
નાની ઉંમરના લોકો જલ્દી નિપાહ સંક્રમણનો ભોગ બને છે
ચામાચિડીયા અને ડુક્કરને કારણે ફેલાય છે નિપાહ વાયરસ
કોરોનાની જેમ નિપાહનું સંક્રમણ પણ ઝડપછથી ફેલાય છે
ભારતમાં હાલ કેરળમાં સૌથી વધારે કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. પરંતુ તેની સાથેજ અહીયા નિપાહ વાયરસને કારણે પણ લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો છે. અગાઉ 2018માં કેરળના કોઝિકોડનાં આવેલ એક ગામમાં નિપાહ વાયરસ પહેલી વખત જોવા મળ્યો હતો. તે સમયે પણ લોકોના મોત થયા હતા.
માણસમાંથી માણસમાં ફેલાય છે નિપાહ વાયરસ
આપને જણાવી દઈએ કે નિપાહ વાયરસ પણ ચામાચિડીયામાંથી તેમજ ડુક્કરમાંથી ફેલાય છે. આ વાયરસ પ્રાણીઓમાં માણસમાં અને માણસમાંથી અન્ય માણસમાં સરળતાથી ફેલાઇ શકે છે. બીજુ કે નાની ઉંમરના લોકોજ નિપાહ વાયરસના ભોગ બને છે.
વાયરસમાં સીવિયરિટી રેટ વઘારે
એક્સપર્ટોના કહેવા પ્રમાણે નિપાહ વાયરસ પાછળ ચામાચિડીયાને મુખ્ય કારણ માનવામાં આવે છે. જ્યારે ચામાચિડીયું કોઈ ફળ કાઈ લે અને તે ફળ જ્યારે માણસ ખાય ત્યારે નિપાહ વાયરસનું સંક્રમણ ફેલાય છે. આ વાયરસમાં સીવિયરિટી રેટ સૌથી વધારે હોય છે.
વધારે પડતો તાવ મુખ્ય લક્ષણ
નિપાહ વાયરસના જો લક્ષણોનું વાત કરીએ તો ખાસ કરીને વધારે પડતો તાવ આવે છે જેના કારણે દર્દીને ભારે તકલીફ થતી હોય છે. એઈમ્સના ડૉક્ટરોનું કહેવું છે જ્યારે કોઈ જંગલી ચામાચિડીયું કોઈ ફળ ખાય તો તે ફળમાં વાયરસ આવી જાય છે. બીજુ નિપાહ વાયરસ માટે હજુ કોઈ વેક્સિન નથી આવી જેથી કોરોનાની જેમ નિપાહ વાયરસ પણ ફેલાઈ શકે છે.
કોઝિકોડમાં 12 વર્ષના બાળકનું મોત
ઉલ્લેખનીય છે કે કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસને કારણે 12 વર્ષના બાળકનું મોત થયું ત્યારબાદથી અહીયા ભયનો માહોલ ફેલાયેલો છે. જોકે બાળકના સંપર્કમાં આવેલ કુલ 61 લોકોના રિપોર્ટ કઢાવામાં આવ્યા હતા. પરંતુ સારી બાબત એ છે કે તે દરેકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.