ઓએસીસમાં કેટલાક પુખ્ત વયના યુવક-યુવતીઓ સંસ્થામાં રહેતા હતા અને ગ્રામજનોને આસપાસ ફરકવા પણ દેવામાં નહોતા આવતા.સંસ્થામાં ખોટા કામો ચાલતા હોવાની ફરિયાદો પણ કરાઈ હતી.;આરોપ
વડોદરા દુષ્કર્મ કેસમાં વિવાદિત ઓએસીસ સંસ્થા
1998મા પણ વિવાદિત રહી ચૂકી છે આ સંસ્થા
ગ્રામજનોની ફરિયાદ બાદ સરકારે જમીન લીધી પરત
દિવાળીના દિવસો દરમિયાન વલસાડ રેલવે સ્ટેશનથી ટ્રેનમાં યુવતીના મળી આવેલા મૃતદેહ બાદ હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે યુવતીએ આત્મહત્યા કરી છે કે તેની હત્યા થઇ છે ? વડોદરાની ઓએસીસ સંસ્થામાં કામ કરતી નવસારીની યુવતી પર બે શખ્સો દ્વારા થયેલા દુષ્કર્મ, ડાયરીના પાના,વોટ્સ એપ મેસેજ, સુરત રેલવે સ્ટેશન પરનાં CCTV દૃશ્યો સઘળું હાથવગું હોવા છતાં પોલીસના હાથ હજુ ખાલી હાથ જેવી સ્થિતિ છે. ત્યારે, ઓએસીસની કરમ-કુંડળી કઈક જુદું જ કહે છે. વડોદરામાં 20 વર્ષ પૂર્વે જ્યાં આ સંસ્થા કામ કરતી હતી ત્યાં જઈને VTVએ કેટલાક તથ્યો ઉજાગર કરવા પ્રયાસ કર્યો છે. કહેવાય છે કે, સંસ્થા આટલા વર્ષો અગાઉ પણ વિવાદિત રહી ચુકી છે.
23 વર્ષ પહેલા સંસ્થામાં ચાલતા હતા ખોટા કામ
વડોદરાના છેવાડે સિધરોડમાં 1 કિમી અંદર જંગલમાં આ ઓએસીસ સંસ્થા ચાલતી હતી. 1998માં સરપંચ રહી ચૂકેલા ઇશ્વરસિંહ સિસોદિયાએ કેટલોક ઘટસ્ફોટ કરતાં કહ્યું કે, આ સંસ્થામાં કેટલાક પુખ્ત વયના યુવક-યુવતીઓ સંસ્થામાં રહેતા હતા અને ગ્રામજનોને સંસ્થાની આસપાસ ફરકવા પણ દેવામાં નહોતા આવતા. જે તે સમયે સંસ્થામાં ખોટા કામો ચાલતા હોવાની ફરિયાદો કરી હતી અને યુવતીઓ તો યુવતીઓ નિર્વસ્ત્ર થઈ ફરતી હોવાની ફરિયાદ પણ કરાઇ હતી. જો ગ્રામજનો રજૂઆત કરવા જાય તો દાદાગીરી કરતા હતા. આથી ગ્રામજનોએ કલેકટર અને મામલતદારને કરી રજૂઆત કરી હતી. ગ્રામજનોની રજૂઆત બાદ,સરકારે સંસ્થા પાસેથી જમીન પરત લઈ લીધી હતી.
યુવતીના કેસમાં પોલીસ 'અંધારા ઉલેચે' છે
વડોદરામા દુષ્કર્મનો ભોગ બનેલી પીડિટના કેસમાં હવે ઓએસીસ સંસ્થાના કેટલાક લોકો પોલીસ રડારમાં આવ્યા છે. શું આ ઘટના અંગે સંસ્થાના કેટલાક લોકોને જાણ હતી ? પોલીસે સંસ્થાના કેટલાક કર્મચારીઓના મોબાઈલ અને તેની વિગતો ચકાસવા માટે 'ટ્રેસ'કરવા શરૂ કર્યા છે. સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર આ યુવતીના કેસ અંગે પૂર્વ સરપંચ રહી ચૂકેલા ઇશ્વરસિંહ સિસોદિયાએ કહ્યું કે, ન્યાય મળવો જોઇએ