ત્રણ મહિના પહેલાં જ ચંડીગઢ રાજીવ ગાંધી ટેકનોલોજી પાર્ક કિશનગઢની એક કંપનીમાં નોકરી કરવા ગયેલો બરેલી જિલ્લાના શાસ્ત્રીનગરનો 21 વર્ષીય અંશ રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયો હતો. આ દરમ્યાન બંદૂકની ગોળી વાગથી યુવકે પોતાનો જીવ ગુમાવ્યો.
બરેલી જિલ્લાના યુવકનું બંદૂકની ગોળી વાગતા થયુ મોત
21 વર્ષીય યુવક સેલ્ફી લેવા માટે ગયો અને વાગી ગોળી
યુવક એક કંપનીમાં કરતો હતો નોકરી
અંશના પિતાએ મિત્ર પર લગાવ્યો હત્યાનો આક્ષેપ
રેસ્ટોરન્ટના કર્મચારીઓ મુજબ, અંશ અને તેના મિત્ર ભાસ્કરે સેલ્ફી લેવા માટે રેસ્ટોરન્ટ માલિક પાસેથી બંદૂક લીધી હતી. જેમાંથી અચાનક ગોળી છૂટી. જોકે, અંશના પિતાએ ભાસ્કર અને રેસ્ટોરન્ટ માલિક રણદીપ સિંહ રાજુ પર હત્યાનો આક્ષેપ લગાવી ફરિયાદ દાખલ કરી છે. આ ઘટના ચંડીગઢના પિન્જોર પોલીસ સ્ટેશન વિસ્તારના રોયલ ગરીબો રેસ્ટોરન્ટમાં સોમવારે રાત્રે સાડા અગિયાર વાગે ઘટી. જ્યાં અંશ પોતાના મિત્ર ભાસ્કરની સાથે ખાવા ગયો હતો. શાસ્ત્રીનગરમાં રહેતા કનંધીર સિંહ મુજબ, અંશ તેમનો મોટો પુત્ર હતો. જે ત્રણ મહિનાથી ચંડીગઢની રાજીવ ગાંધી ટેકનોલોજી પાર્ક કિશનગઢની એક કંપનીમાં કાર્યરત હતો.
સેલ્ફી લેવાના ચક્કરમાં યુવકનું ગોળી વાગવાથી થયું મોત
અંશ ચંડીગઢ સેક્ટર 38ડીમાં હરકિશન શાળાની પાસે ભાડાના ફ્લેટમાં રહેતો હતો. તેમણે જણાવ્યું કે, 6 સપ્ટેમ્બરે સાંજે 5 વાગ્યે અંશે પોતાની માતાને ફોન કરી જણાવ્યું કે તે પોતાના મિત્ર ભાસ્કરની સાથે જમવાનુ જમી રહ્યો છે અને રાત્રે લગભગ 11 વાગ્યા સુધી ફ્લેટમાં પરત આવશે. જોકે, પિન્જોર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રામપાલના જણાવ્યાં મુજબ, સેલ્ફી લેવાના ચક્કરમાં ગોળી વાગવાથી યુવકનું મોત થયુ છે. અંશના પિતાની ફરિયાદના આધારે આરોપીઓ સામે હત્યા અને આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.