શું રખડતા ઢોર નિયંત્રણ કાયદો હોવો જોઇએ કે નહી ? રખડતા ઢોરોને કારણે નિર્દોષો ક્યાં સુધી જીવ ગુમાવશે ?
પાટણમાં રખડતા ઢોરોનો આતંક
18 વર્ષીય યુવકને આખલાએ લીધો અડફેટે
યુવકનું ઘટના સ્થળે મોત
એક તરફ સરકાર દ્વારા રખડતા ઢોરને લઇને કાયદો બનાવવા તજવીજ હાથ ધરવામાં હતી. તો બીજી તરફ આ કાયદાના અમલીકરણને લઇને માલધારી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. જો કે આ તમામ વચ્ચે રખડતા ઢોરોનો આતંક તો યથાવત જોવા મળી રહ્યો છે. જેને લઇને ફરી એકવાર સવાલ ઉભો થયો છે કે શું રખડતા ઢોર નિયંત્રણ કાયદો હોવો જોઇએ કે નહી ? પાટણના રાધનપુરમાં રખડતા પશુઓએ આતંક મચાવતા એકનું મોત નીપજ્યુ હોવાનું સામે આવ્યું છે.
આખલાએ અડફેટે લેતા યુવકનું મોત
પાટણના રાધનપુરની આ ઘટના છે. 18વર્ષીય યુવકને આખલાએ અડફેટે લીધા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ. રાધનપુરના મીરા દરવાજા વિસ્તારમાં આ ઘટના બની. ઘટનાને લઇને પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે તો બીજી તરફ રખડતા ઢોરો મામલે કોઇ કડક કામગીરી ન કરાતા લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. સરકાર ભલે કાયદો મોકૂફ કરે પરંતુ રખડતા ઢોરોને કારણે જે નિર્દોષો મોતને ભેટે છે તેનું કોઇ યોગ્ય નિરાકરણ લાવવુ જરુરી થઇ પડે છે.
પશુઓએ અડફેટે લેતા 2 ઇજાગ્રસ્ત
હમણા બે દિવસ અગાઉ એટલે કે 17 એપ્રિલે વીરપુરમાં જલારામ મંદિર નજીક બજારમાં રખડતા પશુોએ લોકોને પછાડ્યા. બે રખડતા પશુએ દર્શન કરવા આવેલા ત્રણ જેટલા લોકોને ઇજા પહોંચાડી હતી. આજુ બાજુની દુકાનોમાં પણ નુકસાન થયું હતું. સમગ્ર ઘટના CCTV ફૂટેજ સામે આવ્યા હતા.
જામનગરમાં રખડતા ઢોરે મહિલાને ફંગોળી
જામનગરમાં એક મહિલાને ઢોરે અડફેટે લેતાં મહિલા 50 ફુટ સુધી ઢોર સાથે ઢસેડાઈ હતી. ગાયના માલિકના હાથમાથી ગાળિયો છુટી જતાં ગાય દોડવા લાગી હતી. તે દરમિયાન આ ગાળિયો મહિલાના ગળામાં ફસાઈ જતાં મહિલા ગાયની સાથે 50 ફુટ સુધી ઢસેડાઈ હતી. એવામાં અન્ય મહિલાઓએ સતર્કતા દાખવીને મહિલાના ગળામાંથી ગાળિયો કાઢ્યો હતો. આ મહિલાને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેઓને તાત્કાલિક જી.જી. હોસ્પિટલમાં ખસેડાવમાં આવી હતી.
તો આ તરફ માલધારીઓની છે આ માંગ
ગુજરાત શહેરી ઢોર નિયંત્રણ વિધેયક - 2022 રદ કરવામાં આવે
મુંબઈની R.A.કોલોની માફક વસાહતો માટે જમીન ફાળવવામાં આવે
રખડતા આખલા માટે હોસ્ટેલ તથા દરેક જિલ્લામાં ગૌશાળાની વ્યવસ્થા કરવામાં આવે
સુપ્રીમકોર્ટના જજમેન્ટ પ્રમાણે 100 ઢોરે 40 એકર જમીન નીમ કરવામાં આવે
ગૌચરોના દબાણો દૂર કરવામાં આવે
પશુઓને રાખવા માટેના વાડાઓ પશુપાલકોના નામે કરવામાં આવે
પશુ પાલકો 5 એકર જમીન ખેતી માટે ખરીદી શકે તે જોગવાઈ કરવામાં આવે
પશુપાલકોને ખેડૂતની વ્યાખ્યામાં ગણવામાં આવે
ગોપાલક વિકાસ નિગમ,ઘેટા ઉન વિકાસ નિગરને 500 કરોડ ફાળવવામાં આવે
સહકારી ક્ષેત્રમાં ગોપાલક મંડળીઓને મત અધિકાર પહેલાની માફક આપવામાં આવે
જશોદાનગર,અમરાઈવાડી, જેવી વસાહતોને માલિકીના હક્ક આપવામાં આવે
ગીર,બરડા આલેચના માલધારીઓને બંધારણ પ્રમાણે STનો લાભ આપવામાં આવે
જંગલની જમીનો,વિડિઓ ચરિયાણ માટે માલધારીઓને આપવામાં આવે
રાજસ્થાનની માફક ગુજરાતમાં પણ પશુપાલકોને પ્રતિ લીટરે રૂ.5 સબસીડી આપવામાં આવે
ફડચામાં ગયેલી ગોપાલક મંડળીની જમીનો ફરીવાર ગોપાલકોને આપવામાં આવે
પકડાયેલ પશુઓને લઈ 90-અ મુજબની પોલીસ ચાર્જશીટ રદ કરવામાં આવે
બેરોજગારી ઘટાડવા પશુપાલક પરિવારોને અન્ય નોકરીની વ્યવસ્થા કરાવામાં આવે