સુરતના ઉધનામાં તાજેતરના યુવાને આપઘાત કરી લીધો હતો જેમાં રૂપિયાની લેતી-દેતીમાં મામલે યુવાને મોત વ્હાલું કરી લીધાનું બહાર આવ્યું છે. મૃતક યુવાને પોતાના મિત્રને વીડિયો મોકલી જીવનલીલા સંકેલી હતી.
સુરતના ઉધનામાં યુવકના આપઘાતનો મામલો
રૂપિયાની લેતી-દેતી મામલે યુવકે કર્યો આપઘાત
આપઘાત પહેલા મિત્રને પણ વીડિયો કોલ પણ કર્યો હતો
એક બાજુ રાજ્યમાં વ્યાજખોરો સામે કડક ઝૂંબેશ ચાલી રહી છે. તેવામાં સુરતના ઉધનામાં ગત તા. 22ના રોજ યુવકે આપઘાત કરી લીધો હતો આ પ્રકરણમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. રૂપિયાની લેતી-દેતી મામલે યુવાને આયખું ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે.સાળા-બનેવી વચ્ચે ધંધાકીય રૂપિયાની લેતી-દેતીમાં આપઘાત કર્યો હતો. સાળા-બનેવી વચ્ચે ધંધાકીય બાબતને તકરાર થઈ હતી. જેમાં અમરારામ સહિત અન્ય શખ્સો 15 હજારના 75 હજાર રૂપિયા વસૂલ કર્યા હોવાના આરોપ લાગી રહ્યા છે તો ધર્મેન્દ્ર નામના શખ્સે 15 હજારની સામે 75 હજાર રૂપિયા પડાવી લીધા હોવાની રાવ ઉઠતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ આગળ ધપાવી છે.
સાળા અને બનેવી વચ્ચે ધંધાકીય રૂપિયાની લેતી-દેતીમાં કર્યો આપઘાત
દિનારામ ઉમારામ જાટ નામના રાજસ્થાની યુવકે ગત 22 ડિસેમ્બરના રોજ આપઘાત કર્યો હતો. મોત વ્હાલું કરતા પહેલા યુવકએ આક્રંદ સાથે કરુણ વીડિયો વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં મૃતક યુવાને સમસ્યા સ્યુસાઇડ નોટમાં લખી હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં મૃતકે આપઘાત પહેલા મિત્રને વીડિયો કોલ પણ કર્યો હતો. હાલ આ ઘટનાને પગલે પરિવારજનોમાં અરેરાટી મચી જવા પામી છે.
ફર્નિચરના કામ સાથે સંકળાયેલ હતો મૃતક યુવાન
મૃતક યુવાન દિનારામ ફર્નિચરના કામ સાથે સંકળાયેલો હતો. આ દરમીયાન સાળા અને બનેવી વચ્ચે ધંધાકીય બાબતે તકરાર ચાલતી હતી. જેમાં આરોપ લાગી રહ્યા છે કે બનેવી અમરારામ દ્વારા રૂપિયા માટે દીનારામ પર દબાણ કરવામાં આવતું હતું. અમરારામ સહિત અન્ય શખસો, ધર્મેન્દ્ર ઉર્ફે મુન્ના નામના શખ્સો રૂપિયા વસુલ કરી લીધા બાદ પણ ધર્મેન્દ્ર ઉર્ફે મુન્ના વધુ રકમની ઉઘરાણી કરવામાં આવતી હોવાના આક્ષેપ કરાયા છે.