રાજકોટમાં એક યુવકે ગળે આપઘાત કરી લીધો જેમા યુવકે ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કરી લીધું છે. જેમા મૃતક યુવકના પરિવારજનોનું કહેવું છે કે યુવકે મહિલા ડ્રગ પેડલરના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો છે.
રાજકોટમાં જય રાઠોડ નામના યુવકે કરી આત્મહત્યા
જયે મહિલા ડ્રગ્સ પેડલરના ત્રાસથી કરી આત્મહત્યા
યુનિવર્સિટી પોલીસ સમગ્ર મામલે હાથ ધરી તપાસ
રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર રહેતા જય રાઠોડ નામના યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.જો કે, હાલ આ અંગે યુનિવર્સિટી પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં યુવકે ગળેફાંસો ખાઇ કરી આત્મહત્યા
રાજકોટમાં ડ્રગ્સ પેડલરના ત્રાસથી યુવકે આપઘાત કર્યાનો આક્ષેપ લાગ્યો છે. યુનિવર્સિટી રોડ પર ભીડભંજન સોસાયટીમાં રહેતા જય રાઠોડે આર્થિક ભીંસથી કંટાળીને ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો છે. જો કે, યુવકના આપઘાતને લઈને પરિવારજનોએ ડ્રગ્સ પેડલર સુધા નામની મહિલા પર આરોપ લગાવ્યો છે. હાલ આ અંગે યુનિવર્સિટી પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
યુનિવર્સિટી પોલીસ સમગ્ર મામલે હાથ ધરી તપાસ
રાજકોટ-યુનિવર્સિટી રોડ પર ભીડભંજન સોસાયટીમાં રહેતા જય રાઠોડ નામના યુવકની આર્થિક ભીંસથી કંટાળીને ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી છે. પરિવારજનોએ ડ્રગ્સ પેડલર સુઘાના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો છે. જો કે, પોલીસે હાલ આર્થિક ભીંસથી કંટાળીને યુવકે આપઘાત કર્યાનુ પ્રાથમિક નિવેદન આપ્યુ છે.ઉલ્લેખનીય છે કે, આપઘાતના એક દિવસ પહેલા ડ્રગ્સ પેડલર સુધા યુવક સાથે માથાકૂટ કરી હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે. સુધા રાજકોટમાં ડ્રગ્સનો વેપાર કરતી કુખ્યાત મહિલા હોવાની ચર્ચા છે. આ અગાઉ સુધા ધામેલીયા સામે ગુનો નોંધાયો હતો.