મોરબીમાં અંગત અદાવતમાં યુવકની ઘાતકી હત્યા કરી દેવામાં આવતા ચકચાર, યુવાનને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો
મોરબીમાં યુવાનની છરીના ઘા મારી હત્યા
જોન્સનગરના રહેતા યુવાનને મોતને ઘાટ ઉતાર્યો
એ ડિવિઝન પોલીસે ગુનો હત્યા મામલે તપાસ હાથ ધરી
મોરબીમાં અંગત અદાવતમાં યુવકની ઘાતકી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે. મોરબીના જોન્સનગરમાં રહેતા ઈમરાન ખોડ નામના યુવક પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો એટલું નહીં યુવકની બાઈકને પણ નુકસાન કરી તોડફોડ કરવામાં આવી હતી, અજાણ્યા શખ્સો દ્વારા યુવક પર છરી વડે હુમલો કરવામાં આવતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી જે બાદ યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવતા તેનું રસ્તામાં જ મોત નિપજ્યું હતું જો કે અજાણ્યા શખ્સો કોણ હતો અને કેમ યુવક પર હુમલો કરવામાં આવ્યો તેનું કારણે હજુ સુધી જાણવા મળ્યું નથી.
મોરબીમાં યુવાનની છરીના ઘા મારી હત્યા
સમગ્ર મામલે પોલીસ તપાસ કાર્યવાહી શરૂ કરી છે પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ અંગત અદાવતમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો હોઈ શકે છે. જો કે હુમલાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી જો કે હુમલો કરી યુવકો ફરાર થઈ જતા પોલીસ અજાણ્યા શખ્સોને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.એ ડિવિઝન પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોના સીસીટીવી કેમેરા પણ ચેક કરવામાં આવી રહ્યા છે.
પોલીસે ગુનો હત્યા મામલે તપાસ હાથ ધરી
મહત્વનું છે કો ઈમરાન ખોડ નામના યુવકની છરીના ઘા મારીને ઘાતકી હત્યા કરી દેવાતા પરિવારજનોમાં શોક મગ્ન થઈ ગયા છે, એકનો એક કમાઉ દિકરાની હત્યા મામલે પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે હુમલો કરનાર શખ્સોને ઝડપી પાડી ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.