દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રી ઉજવાય છે. આ વખતે મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરીએ આવી રહી છે. હિન્દુ ધર્મમાં શનિને ભગવાન શિવના પરમ ભક્ત તરીકે દર્શાવવામાં આવ્યા છે. એવી માન્યતા છે કે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર કેટલીક ખાસ વસ્તુઓ અર્પણ કરવાથી શનિદેવની સાડાસાતી, ઢૈયા અને મહાદશામાંથી રાહત મળે છે. ચાલો જાણીએ કે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર કઈ વસ્તુ અર્પણ કરવુ જોઈએ.
Share
1/7
1. ગંગા જળ
મહાશિવરાત્રીના દિવસે પ્રદોષ કાળની પૂજા દરમિયાન શિવલિંગ પર ગંગાજળ ચઢાવવાથી સાડાસાતી અને ઢૈયાનો પ્રભાવ ઓછો થાય છે. મહાશિવરાત્રીના દિવસે તાંબાના વાસણમાં પાણી લો તેમાં થોડું ગંગાજળ ઉમેરો અને શિવલિંગ પર અભિષેક કરો.
આ તસવીર શેર કરો
2/7
2. દૂધ
ભગવાન શિવ અને તેમના ગળામાં રહેલા નાગ દેવતાને દૂધ ખૂબ પ્રિય છે. એવામાં શનિની સાડાસાતી અને ઢૈયાનો પ્રભાવ ઓછો કરવા માટે તમે મહાશિવરાત્રી પર શિવલિંગ પર દૂધ ચઢાવી શકો છો.
આ તસવીર શેર કરો
3/7
3. દહીં
જે લોકો શનિની સાડાસાતી અને ઢૈયાનો ખૂબ પરેશાન હોય તેમને મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર દહીં ચઢાવવું જોઈએ. શિવલિંગ પર દહી ચડાવવાથી શનિના પ્રકોપથી પણ રાહત મળે છે.
આ તસવીર શેર કરો
4/7
4. ઘી
શનિની ક્રૂર દ્રષ્ટિને કારણે ગમે તે વ્યક્તિનું જીવન દુઃખોથી પહાડોથી ઘેરાઈ જાય છે. શનિ વ્યક્તિને સાડાસાતી અને ઢૈયાથી પરેશાન કરે છે. આ સ્થિતિમાં શનિની ક્રૂર દ્રષ્ટિથી બચવા માટે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર દેશી ઘી ચઢાવો.
આ તસવીર શેર કરો
5/7
5. મધ
હિન્દુ શાસ્ત્ર મુજબ શનિના અશુભ પ્રભાવથી બચવા માટે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર મધ ચઢાવી શકાય છે. મહાશિવરાત્રીના દિવસે આવું કરવાથી શનિદેવના ઢૈયા અને મહાદશામાંથી રાહત મળે છે.
આ તસવીર શેર કરો
6/7
6. ભાંગ
એવી માન્યતા છે કે, ભગવાન શિવને ભાંગ ખૂબ જ પ્રિય છે. જો કોઈ જાતક મહાશિવરાત્રી પર શિવલિંગ પર ભાંગ ચઢાવે છે તો તેની દરેક ઇચ્છાઓ પૂર્ણ થાય છે. આ સાથે શનિદેવની સાડાસાતી અને ઢૈયાથી પણ રાહત મળે છે.
આ તસવીર શેર કરો
7/7
7. બેલપત્ર
મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર બેલપત્ર, ધતુરા અને શક્કર ચઢાવવાથી પણ ભગવાન શંકરના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. મહાશિવરાત્રી પર આ ઉપાય કરવાથી શનિના પ્રકોપથી રાહત મળે છે.
આ તસવીર શેર કરો
સંકળાયેલા મુદ્દાઓ
Mahashivratri
Shani Dev
Shivling
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.