કોરોનાકાળમાં ખાનગી જ નહિ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલએ પણ રોકડી કરી લીધી દવાનો ખર્ચ કહો કે ભોજન ખર્ચ. મહાપાલિકા સંચાલિત હોસ્પીટલના ચોંકાવનારા તથ્ય RTI માં આવ્યા સામે.
મહાપાલિકા સંચાલિત હોસ્પિટલ્સમાં ઉઘાડી લૂંટ
કોરોના કાળમાં અપાયેલા ભોજનમાં મોટો ભાવ-ફેર
મન ફાવે તેમ દર્દીઓ પાસેથી વસૂલી લીધા નાણા
અમદાવાદની મહાનગર પાલિકા સંચાલિત હોસ્પિટલમાં દર્દીઓને અપાતા ભોજનમાં ખુલેઆમ લૂંટ ચાલતી હોય તેવો ચોકાવનારો ખુલાસો થયો છે.એક દર્દીના ભોજનનો ખર્ચ મહાનગર પાલિકા
સંચાલિત હોસ્પીટલમાં થઇ -થઈને કેટલો થાય ? તમોને એ જાણીને નવાઈ લાગશે કે, SVP હોસ્પિટલ એક દર્દીના ભોજનનો ખર્ચ 3051 ઉધાર્યો છે. કોરોનાકાળમાં ખાનગી જ નહિ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ પણ રોકડી કરી લેવામાંથી પાછી નથી પડી. દવાનો ખર્ચ કહો કે ભોજન ખર્ચ. મહાપાલિકા સંચાલિત હોસ્પીટલના ચોંકાવનારા તથ્ય RTIમાં સામે આવ્યા છે.
RTIમાં સામે આવ્યો મોટો ખુલાસો
અમદાવાદની AMC સંચાલિત હોસ્પિટલો વિવાદમાં આવી છે.કોરોનાકાળમાં હોસ્પિટલો દ્વારા દર્દીઓને જે ભોજન દર્દીઓને આપ્યું હતું. તેમાં મોટો તફાવત જોવા મળ્યો છે. એક RTIમાં ખુલાસો થયો છે કે AMC સંચાલિત હોસ્પિટલના ભોજન ખર્ચમાં તફાવત જોવા મળ્યો છે. તમામ હોસ્પિટલનું મેનુ સરખુ પરંતુ ભાવમાં મોટો તફાવત છે. કોરોનાં દર્દી માટે AMC સંચાલિત હોસ્પિટલમાં જમવાની વ્યવસ્થા કરાઇ હતી. જેમાં LG હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં જમવાનું મેનુ સરખું હતું. હોસ્પિટલના મેનુમાં સવારે ચા-નાસ્તો, મગનું પાણી, બપોરના ભોજનમાં દાળભાત, શાક-કઠોળ, રોટલી અને દર્દીને બપોરે લીંબુ પાણી આપતું હતું,
જાણો,કઈ હોસ્પીટલે કેટલા ખંખેર્યા ?
અમદાવાદની મહા પાલિકા સંચાલિત હોસ્પિટલ્સમાં સાંજે ચા નાસ્તો, જ્યારે રાત્રી ભોજનમાં શાક-રોટલી, ખીચડી-કઢીનું ભોજન અપાતું હતું. ત્યારે એક સરખું ભોજન છતા બધી હોસ્પિટલોએ બીલ અલગ-અલગ મુક્યા છે. જેમાં LG હોસ્પિટલે એક દર્દીના એક દિવસનો ખર્ચ 937 દર્શાવ્યો છે. જ્યારે SVP હોસ્પિટલે એક દર્દીના ભોજનનો ખર્ચે 3051 રૂપિયા. શારદાબેન હોસ્પિટલે એક દર્દીના ભોજનનો ખર્ચ 62 રૂપિયા અને SVP હોસ્પિટલમાં કુલ 18026 દર્દીઓએ સારવાર લીધી હતી. જેમાં SVP હોસ્પિટલે દર્દીના ભોજન પાછળ 5.5 કરોડનો ખર્ચ કર્યો. જ્યારે L.G હોસ્પિટલમાં કુલ 2012 દર્દીએ સારવાર લીધી હતી અને ભોજન માટેનો ખર્ચ 18 લાખ 85 હજાર 408 રૂપિયા થયો. અને શારદાબેન હોસ્પિટલમાં 1143 દર્દીઓએ કોરોનાની સારવાર લીધી હતી. ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે AMC સંચાલિત હોસ્પિટલમાં ભોજન એક સમાન તો બીલમાં તફાવત કેમ?. શું ભોજનના નામે લાખો-કરોડોની લૂંટ કરાઇ છે?. કોરોનાકાળમાં દર્દીઓના ભોજનના નામે ખિસ્સા ભર્યા?. કોરોનાકાળમાં પણ હોસ્પિટલ સંચાલકો પોતાનું ઘર ભરવાનું વિચારતા હતા?. AMC સત્તાધિશોની મીલિભગતથી હોસ્પિટલોએ લૂંટ ચલાવી છે?. AMC સત્તાધિશોને આ અંગે કોઇ જાણ જ નથી?. કઇ હોસ્પિટલ કેટલો ખર્ચ કરે છે તે AMCને જાણ નથી?
ભાવમાં મોટી વિસંગતતા
કોરોના બીજી લહેર ખૂબ જ ઘાતક રહી આ લહેરમાં અનેક લોકો જીવ ગુમાવાનો વારો આવ્યો હતો.તેમાં પણ બીજી લહેરમાં હોસ્પિટલમાં બેડ પણ ન મળ્યા અને હજારો નાગરિકો કોરોનાની બીમારીમા સપડાયા હતા.કોરોના સપડાયેલા નાગરિકો AMC સંચાલિત હોસ્પિટલમા સારવાર લેવાની નોબત આવી,જો કે સારવાર સમયે ભોજન વ્યવસ્થા પણ હોસ્પિટલ દ્વારા કરાઈ હતી.પરંતુ તે અંગે RTI કરતા કોર્પોરેશન સંચાલીત હોસ્પિટલમા વિસંગતતા જોવા મળી હતી..
કોરોના બીજી લહેર ખૂબ ઘાતક રહી,જેમાં લાખો દર્દીઓ AMC સંચાલિત હોસ્પિટલ શરણે થવું પડીને સારવાર લેવાની નોબત આવી, આ સારવાર સાથે સાથે AMC સંચાલિત હોસ્પિટલ કોરોના દર્દીઓ ભોજનની પણ વ્યવસ્થા દર્દીઓ માટે કરી...ત્યારે ગ્રાહક સુરક્ષા અને ગ્રાહક સત્યાગ્રહના પ્રમુખ કેટલા દર્દીઓ સારવાર સાથે ભોજન પૂરું પાડવામાં આવ્યું તે અંગે RTI કરીને માહિતી મેળવાનાઓ પ્રયત્ન કર્યો ત્યારે ચોંકાવનારી વિગતો આવી સામે. અમદાવાદ શહેરમાં AMC સંચાલિત મુખ્ય ચાર હોસ્પિટલ જેવી કે L.G.હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ, SVP અને સોલા સિવિલ આ ચારેય હોસ્પિટલના ભોજન મેનુ એક હતું.પરંતુ જુદી જુદી હોસ્પિટલ દર્દીના ભોજન બિલ નાણાંકીય વિગતોમાં વિભિન્નતા જોવા મળી છે.
ચારેય હોસ્પિટલે કોરોના કાળમાં કેટલું ભોજન કરાવ્યું અને કેટલો ખર્ચો કર્યો તે વિગત
હોસ્પિટલ નામ દર્દીની સંખ્યા ભોજન માટે કરેલ ખર્ચે એક દર્દીનો ખર્ચ
આમ કોરોના સારવાર વખતે અનેક નાગરિકો હાલાકીનો સામનો કરવાની નોબત આવી.પરંતુ ને ભોજન પીરસયું તેમાં પણ વિસગતા સમયે સામે આવતા અનેક સવાલો પેદા કરી રહ્યા છે,શુ દર્દીને પીરસાયેલા ભોજનના નાણાં ઓહીયા કરી લીધા છે.આંકડો જોઈએ તો ક્યાંય કોરોનામાં 4 હોસ્પિટલમા અદાજીત 40 હજાર દર્દીઓ સારવાર મેળવી અને દર્દીઓનાં અદાજીત 6 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.