રૂપિયા કમાવવા માટે લોકો જાત જાતના પ્રયત્નો કરે છે મહેનત કરે છે. પરંતુ તેમ છતાં પૈસાની કમીથી છુટકારો મળી શકતો નથી. આજે અમે તમને ભારતની એક એવી જગ્યા માટે જણાવવા જઇ રહ્યા છીએ જ્યાં માત્ર જવાથી તમે ધનવાન બની શકો છો. એક એવું ગામ જ્યાં જવાથી તમાની કિસ્મતનું બંધ લોક ખુલી જશે અને તમારી સમસ્યાનો અંત થઇ શકે છે.
ભારતના ઉત્તરાખંડનું આ ગામ છે. જેને વરદાન મળ્યું છે એ તમારી ગરીબી દૂર કરી શકે છે. ઉત્તરાખંડના આ ગામનું નામ માણા છે જેના માટે એક વિચિત્ર વાત કહેવામાં આવી છે કે આ ગામ ભારતનું અંતિમ ગામ છે. માણા ગામને શ્રાપ મુક્ત ગામ કહેવામાં આવે છે અને આ ગામમાં આવનાર વ્યક્તિના જીવનના મોટામાં મોટા પાપ ધોવાઇ જાય છે અને એની ગરીબી દૂર થાય છે.
કહેવાય છે કે આ ગામને ભગવાન શંકરના આશાર્વાગ મળ્યા છે જે કારણથી અહીંયા આવનાર લોકોનું જીવન તમામ સુખ સુવિધાઓ અને સફળતાઓથી ભરેલુ હોય છે.
ભગવાન શંકરના વરદાનના પ્રભાવના કારણએ લોકોની પણ વિશેષ માન્યતા છે અહીંયા આવનાર વ્યક્તિની ગરીબી દૂર થાય છે. અહીંયા ભગવાન શંકરની એક પ્રાચીન મૂર્તિ છે જેના દર્શન કરવા લાભકારી માનવામાં આવે છે. તેમજ મૂર્તિના દર્શન કરીને જે વરદાન માગવામાં આવે છે એ જરૂરથી પૂર્ણ થાય છે.
માણા ગામ માટે કહેવામાં આવે છે છે મહાભારતનો અંત થયા બાદ પાંચ પાંડવ અને દ્રોપદી આ ગામના રસ્તાથી થઇને સ્વર્ગ તરફ ગયા હતા.