સુરતમાં ક્રિપ્ટોકરન્સીની લાલચમાં વેપારીને લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. વિગતો મુજબ સુરતમાં એક વેપારીએ ક્રિપ્ટોકરન્સીની લાલચે 20 લાખ ગુમાવ્યા છે. જેમાં વેપારીએ 29.50 લાખ ટ્રાન્સફર કર્યા બાદ વેપારીના વોલેટમાં 9.50 લાખના USDT કોઈન જ જમા થયા હતા. જોકે બાકીના 20 લાખની છેતરપિંડી થયા હોવાનું સામે આવતા વેપારી ચોંકી ઉઠ્યા હતા. જે બાદમાં સમગ્ર મામલે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ક્રિપ્ટો કરન્સીની લાલચમાં વેપારીએ 20 લાખ ગુમાવ્યા
સુરતના અડાજણના વેપારી અહમદ રઝા મોહમદ યાસીન પટેલને ક્રિપ્ટો કરન્સીની લાલચ મોંધી પડી છે. વેપારી અહમદ રઝા મોહમદ યાસીન પટેલે ક્રિપ્ટો કરન્સી લેવા ટુકડે-ટુકડે કરી 29.50 લાખ ટ્રાન્સફર કર્યા હતા. જે બાદમાં વેપારીના વોલેટમાં 29.50 લાખની જગ્યાએ માત્ર 9.50 લાખના USDT કોઈન જમા થયા હતા.
29.50 લાખ ટ્રાન્સફર કર્યા પણ 9.50 લાખના જ USDT કોઈન જમા થયા
વેપારી અહમદ રઝા મોહમદ યાસીન પટેલે ક્રિપ્ટો કરન્સી મેળવવા માટે 29.50 લાખ ટ્રાન્સફર કર્યા હતા. જોકે વેપારીના વોલેટમાં 29.50 લાખની જગ્યાએ માત્ર 9.50 લાખના USDT કોઈન જમા થયા હતા. જેથી વેપારીને પોતાની સાથે 20 લાખની છેતરપિંડી થયાનું સમજાયું હતું. સમગ્ર માંમલે હવે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.