પાવાગઢથી યુદ્વની તોપમાં વપરાતા ગોળાનો જથ્થો મળી આવ્યો છે. પાવાગઢમાં જ્યારે એક જૂની ધર્મશાળાને તોડવામાં આવી રહી હતી તે દરમિયાન મોટા પ્રમાણમાં લોંખડના ગોળા મળી આવ્યા
યુદ્વની તોપમાં વપરાતા ગોળાનો જથ્થો મળ્યો
મોટા પ્રમાણમાં લોંખડના ગોળા મળતા ભારે ચર્ચા
ધર્મશાળાના ખોદકામ દરમિયાન મળ્યા દારૂગોળા
યાત્રાધામ પાવાગઢમાંથી પુરાતન કાળના ગોળા મળી આવ્યા છે. પાવાગઢથી યુદ્વની તોપમાં વપરાતા ગોળાનો જથ્થો મળી આવ્યો છે. પાવાગઢમાં જ્યારે એક જૂની ધર્મશાળાને તોડવામાં આવી રહી હતી તે દરમિયાન મોટા પ્રમાણમાં લોંખડના ગોળા મળી આવ્યા છે. આ કામગીરીમાં ખોદકામ દરમિયાન દારૂગોળાના અવશેષ પણ મળી આવ્યા છે. પુરાતન દારૂગોળાનો જથ્થો મળી આવતાં આસપાસના લોકો પણ દારૂગોળાને જોવા ઉમટ્યા હતા. આ મામલે પુરાતત્વ વિભાગને અવગત કરાયા છે. ઉલ્લેખનીય છે કે,ધર્મશાળામાં ખોદકામ હાલ પુરતુ બંધ પણ કરી દેવામાં આવ્યુ છે. કહેવાય છે કે, મહમૂદ બેગડાનાં સાશન કે ત્યાર બાદના કોઈ યુદ્ધ સમયનાં અવશેષ હોય શકે.
ગુજરાતમાં ઇ.સ. 1458-1511માં મહમદ બેગડાનો આતંક હતો. માત્ર 13 વર્ષની વયે સુલતાન બનનારો મહમૂદ બેગડાના મનમાં અજેય અને ચક્રવતી બનવાનું ભૂત સવાર હતું. ઈતિહાસ નોંધે છે કે, તેણે જુનાગઢ અને પાવાગઢ નામના બે ગઢ જીત્યા હોવાથી તે 'બેગઢો' કહેવાયો. પાછળથી બેગઢાનું અપભ્રંશ થઇ 'બેગડો' પ્રચલિત બન્યું. પાવાગઢ -ચાંપાનેરમાં ક્ષત્રીય વંશજોનો લાંબો-બહોળો ઈતિહાસ છે. ત્યારે યુદ્ધની પ્રાગૈતિહાસિક વાતોના અવશેષ સમા દારૂગોળા મળી આવતા હવે ક્યા સમયના યુદ્ધ દર્મીયાન્ન્ના આ અવશેષો હશે તે અંગે પુરાતત્વ વિભાગ કઈ સંશોધન બાદ પ્રકાશ પાડશે.