રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે સુરતમાં કોરોના ફરી માથું ઉંચકી રહ્યો છે, સુરતમાં માત્ર એક જ દિવસમાં 50 થી વધુ લોકો કોરોનાની ચપેટમાં આવ્યાં છે.
સુરતમાં કોરોનાની ત્રીજી લહેરની દસ્તક
સુરતમાં એક જ દિવસમાં 50 કરતા વધુ કેસ નોંધાયા
અઠવા ઝોન ફરી એક વખત હોટસ્પોટ બન્યો
સુરતમાં કોરોના કહેર પુનઃ શરૂ થયો
સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ફરી એક વાર કોરોના પોતાનું માથું ઉંચકી રહ્યું છે. ત્યારે સુરતમાં જાણે કોરોની ત્રીજી લહેરે દસ્તક દીધી હોય તેમ માત્ર એક જ દિવસમાં 50 થી વધુ કોરોનાના દર્દીઓ નોધાયા છે. જેમાંથી 10 તો શાળાએ ભણતા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છેય. એમાંય પણ સુરતનો અઠવા ઝોન પુનઃ એક વખત હોટસ્પોટ બન્યો છે. કારણે માત્ર એક જ દિવસમાં અઠવા ઝોનમાં 34 કેસ નોધાયા છે. આ સાથે સેન્ટ્રલ ઝોન 1 કેસ, વરાછા A ઝોનમાં - 1 કેસ, વરાછા B ઝોનમાં 4 કેસ, રાંદેર ઝોનમાં 6 કેસ, કતારગામ ઝોનમાં 3 કેસ, લિંબાયત ઝોનમાં 2 કેસ, ઉધના ઝોનમાં 1 કેસ નોંધાયો છે.
કોરોના કેસમાં અચાનક મોટો ઉછાળો આવતા સુરત તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના વધતાં પ્રકોપને લીધે સુરતમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. જેથી હવે સુરતમાં 4 લોકોના ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. સુરતમાં સભા કે સરઘસ કાઢવાનો પણ મનાઈ હુકમ પારિત કરી દેવામાં આવ્યો છે. 11 જાન્યુઆરી સુધી 144ની કલમ લાગુ રહેશે તેવુ જાહેરનામું સુરત પોલીસ કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.અને સાથે કડક આદેશ અને અમલવારીના પણ ઓર્ડર આપી દેવામાં આવ્યા છે.