છૂટાછેડા બાદ પોતાના પતિને બીજી મહિલા સાથે સંબંધ બાંધીને સંતાન મેળવતો અટકાવવા માટે એક પત્નીએ પતિની નસબંધી કરાવી દીધી.
લગ્નજીવનનો એક રોચક કિસ્સો
પત્ની નથી ઈચ્છતી પતિ બીજી સ્ત્રી દ્વારા સંતાન પેદા કરે
એટલે પતિની કરાવી દીધી નસબંધી
લોકોએ ખૂબ ટ્રોલ કરી
લગ્નજીવનમાં લગ્નત્તેર સંબંધોની વાત સામાન્ય છે એટલે કે પતિ-પત્નીને એકબીજા પર કાયમ શંકા રહેતી હોય છે.પરંતું અહીં એક પત્નીએ તેના પતિને બીજી સ્ત્રી સંબંધ બાંધતો અટકાવવા જે પગલું ભર્યું તે ખૂબ ચર્ચાસ્પદ બન્યું છે.
પત્નીએ પતિની કરાવી નસબંધી જેથી બીજી સ્ત્રીઓ સાથે સંતાન ન પેદા કરે
એક મહિલાએ સોશિયલ મીડિયા પર એક વિચિત્ર ઇચ્છા શેર કરી છે. મહિલાએ કહ્યું કે તેઓ તેના પતિથી અલગ થવા માગે છે અને હાલમાં તેમને બે સંતાનો છે. છૂટછેડા બાદ પતિ બીજી કોઈ મહિલા સાથે સંતાન પેદા ન કરે તે માટે તેણે પતિને નસબંધી કરાવવા માટે તૈયાર થયો છે. પત્નીએ કહ્યું કે તેને પૂરી શંકા છે કે છુટાછેડા બાદ તેનો પતિ બીજી કોઈ મહિલા સાથે સંતાન પેદા કરશે આવી સ્થિતિમાં નસબંધી વધારે યોગ્ય છે કારણ મારા પતિ બીજી સ્ત્રી સાથે સંબંધ બાંધીને બાળકો પેદા ન કરે તેવી મારી ઈચ્છા છે.
પતિએ પણ પત્નીની વાતમાં સંમત દર્શાવી
ચોંકાવનારી વાત એ છે કે પતિએ પણ પત્નીની આ વાતમાં હામી ભરી દીધી છે અને તે નસબંધી કરાવવા તૈયાર થયો છે. આ પછી મહિલાને સોશિયલ મીડિયા પર લોકોએ ટ્રોલ કરી છે. આ મહિલા બે બાળકોની માતા છે. તે ઇચ્છે છે કે તેનો પતિ તેની નસબંધી કરાવે. જેથી તે પોતાના પતિને છૂટાછેડા આપી દે તો પણ તે બીજી મહિલા સાથે સંતાન પેદા કરી શકશે નહીં. પતિએ આમ કરવાની હા પાડી છે.
ત્રીજુ બાળક થયા બાદ નસબંધી કરાવશે
મહિલાએ ટિકટોક પર પોતાનો શોર્ટ વીડિયો શેર કર્યો છે. આ મહિલાનું નામ નિકોલ છે. વીડિયોમાં તેણે લખ્યું છે કે, "લોકોને લાગે છે કે હું ખોટી છું કારણ કે હું મારા પતિના બાળકો અન્ય કોઈ મહિલા સાથે નથી ઇચ્છતી. મહિલાએ કહ્યું છે કે ત્રીજું બાળક થયા બાદ તે તેના પતિની નસબંધી કરાવશે.
લોકોએ મહિલાને કરી ટ્રોલ
તેના આ વીડિયો પર યૂઝર્સે તેને જોરદાર ટ્રોલ કર્યો છે. સાથે જ તેના વીડિયો પર ઘણા યૂઝર્સે કમેન્ટ પણ કરી છે. એક યુઝરે લખ્યું કે, "જો મહિલા પોતાની જાતને છેતરે છે, પોતાની રીતે છૂટાછેડા લઈ લે છે, આવી સ્થિતિમાં, તેના પતિને બીજી સ્ત્રી સાથે બાળકો કેમ ન થાય?" ઘણા લોકોએ લખ્યું હતું કે જો કોઈ પુરુષ તેની પત્ની વિશે પણ આવું જ કહે છે, તો મહિલાઓ કહેશે કે તેમનું શરીર, તેમની પસંદગી.એક વ્યક્તિએ આશ્ચર્ય વ્યક્ત કર્યું અને ટિપ્પણી કરી, "દરેક જણ આટલું પાગલ ન હોઈ શકે", જેના પર નિકોલે જવાબ આપ્યો, "જો તમે કોઈ વસ્તુમાં વિશ્વાસ ન કરો, તો તેનો અર્થ એ નથી કે તે એક ક્રેઝી વિચાર છે.અન્ય એક વ્યક્તિએ કમેન્ટ કરી હતી કે, "લોકો સામેની વ્યક્તિને કેમ કંટ્રોલ કરવા માંગે છે?" એક યુઝરે એમ પણ લખ્યું કે, "હું આ દાવા સાથે કહી શકું છું કે તે (મહિલાનો પતિ) સંમત થશે કારણ કે મહિલા તેને છોડતી નથી." આ ટિપ્પણી પર નિકોલે પણ જવાબ આપ્યો હતો. તેણે કહ્યું કે તેની ખુશી માટે જ પતિ આવું કરવા તૈયાર થયો હતો. આનાથી અમારો પરિવાર ખુશ થશે.