યુપી સરકારની ટીમ સાથે સંયુક્ત પત્રકાર પરિષદ યોજ્યા બાદ સોમવારે રાકેશ ટિકૈત કહ્યું હતું કે, જો યુપી સરકારે ઉચ્ચ સ્તરીય ટીમ મોકલાવી તો સમાધાન થઈ ગયું
લખીમપુર ખીરી ઘટનામાં રાકેશ ટિકૈતની ભૂમિકાથી હેરાન
ટિકૈતે જ પિડીત પરિવારોને મળી સમજાવવાનું કામ હાથે લીધું હતું
રાકેશ ટિકૈતની વાતો સાંભળી લોકો આશ્ચર્ય ચકિત થયાં
લખીમપુર ખીરી ઘટનામાં રાકેશ ટિકૈતની ભૂમિકાથી હેરાન
ભારતીય જનતા પાર્ટી સામે છેલ્લા 10 મહિનાથી વિરોધ કરી રહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈત લખીમપુર ખીરી કેસમાં ઉત્તર પ્રદેશ સરકારના મુશ્કેલી નિવારક તરીકે બહાર આવ્યાં છે. સોમવારે જ તેમણે યુપી સરકારની ટીમ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જે બાદ તેમણે યુપી સરકારે મોકલેલી ઉચ્ચ સ્તરીય ટીમને કરારનો શ્રેય આપ્યો હતો. ખેડૂતોના આંદોલનના લઈને રાજધાની દિલ્હીની ગાઝીપુર બોર્ડરનો મોટો હિસ્સો રોકી રહી છે. એટલું જ નહીં, તેમણે ચૂંટણી રાજ્યોમાં પહોંચીને ભાજપ વિરુદ્ધ પ્રચાર કર્યો હતો. જો કે, ઘણા લોકો આ કાંડમાં તેની ભૂમિકાથી ઘણાં લોકો હેરાન છે.
ટિકૈતે જ પિડીત પરિવારોને મળી સમજાવવાનું કામ હાથે લીધું હતું
મંગળવારે ટિકૈત અને સરકાર વચ્ચેનો કરાર તૂટી જવાની અણી પર પહોંચ્યો જ્યારે મૃતકોના પરિવારોએ મૃતદેહોને અગ્નિસંસ્કાર કરવાની ના પાડી હતી. તે ટિકૈત જ હતાં જેઓએ પિડીત પરિવારોને મળીને તેમને સમજાવવાની જવાબદારીનું કામ હાથ પર લીધું હતું. ટિકૈતના દખલ બાદ ખેડૂત ગુરવિંદર સિંહને છોડીને અન્ય ત્રણ ખેડૂતોનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. ગુરવિંદર સિંહના પરિવારે આશંકા જાહેર કરી હતી કે, ખેડૂતને ગોળી મારી દેવામાં આવી હતી. જેને લઈને હવે બીજી વાર ઓટોપ્સી કરવાની છે .ટિકૈતે માર્યા ગયેલા પત્રકાર રમન કશ્યપના પરિવારની પણ મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે, કશ્યપ પણ ખેડૂત હતો. સોમાવારે ટિકૈતે યૂપીના ટોચના પોલીસ અધિકારી પ્રશાંત કુમાર સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી
રાકેશ ટિકૈતની વાતો સાંભળી લોકો આશ્ચર્ય ચકિત થયાં
સુત્રોના જણાવ્યા અનુસાર વિપક્ષના એક નેતાએ કહ્યું હતું કે, ટિકૈત ભજવેલી ભૂમિકા અજીબ છે. યૂપી સરકાર તરફથી માત્ર તેમને લખીમપુર જવા દેવામાં આવ્યાં છે. એક ચોકાવાનારી વાત એ છે કે પરિવારે 45 લાખ રૂપિયાના વળતર માટે માની ગઈ હતી. અને કેન્દ્વીય મંત્રીના પુત્રની ધરપકડ માટે દબાણ કર્યા વગર પોસ્ટ મોર્ટમની મંજૂરી આપી. સુત્રોના જણાવ્યા અનુસાર પરિવારે માત્ર ટિકૈતની વાતો જ સાંભળી છે. એક અન્ય વિપક્ષી નેતાએ યૂપીમાં ડાયલ 122માં તૈનાત નોઈડાના પૂર્વ એસપી અને આઈપીએસ અધિકારી અજય પાલ શર્માની મધ્યસ્થી વાળી ભૂમિકાની તરફ ઈસારો કર્યો હતો.
રાકેશ ટિકૈતે લખીમપુર ખીરી ઘટના અંગે શું કહ્યું ?
યૂપી સરકારની ટીમ સાથે સંયુક્ત પ્રેસકોન્ફરન્સ કર્યા બાદ સોમવારે ટિકૈતે કહ્યું હતું કે, યૂપી સરકારે ઉચ્ચ સ્તરીય ટીમ મોકલી તો સમાધાન થઈ ગયું છે. આ પ્રેસ કોન્ફરન્સમાં ટિકૈતે ચાર મૃતકો ખેડૂતોના પરિવારની 45 લાખ રૂપિયાનું વળતર તેમજ સરકારી નોકરીનું વચન, ઉચ્ચ સ્તરીય તપાસ અને ચાર મૃત ખેડૂતોના પરિવાર વતી આરોપીઓ સામે FIR કરવાની માંગણી સ્વીકારી હતી. આ માંગણીઓ લઈને ટિકૈત, પરિવારો અને સરકાર વચ્ચે ઘણી ચર્ચાઓ થઈ હતી. પરિવારો અગાઉ મંત્રીના પુત્રની ધરપકડ અને કેન્દ્રીય મંત્રીની હકાલપટ્ટીની માંગણી કરી રહ્યા હતા, પરંતુ અંતે તેઓએ આગ્રહ ન કર્યો અને પોસ્ટમોર્ટમ માટે સંમત થયા. જ્યારે તમામ રાજકારણીઓને રોકવામાં આવ્યા ત્યારે ટિકૈતને રવિવારે મોડી રાત્રે લખીમપુર પહોંચવાની મંજૂરી આપવામાં આવી.
પરિવારોએ મૃતદેહોનો અગ્નિસંસ્કાર કરવાની ના પાડતાં, કરાર તૂટી રહ્યો હોય તેવું લાગ્યું હતું .
જો કે, મંગળવારે જ્યારે પરિવારોએ મૃતદેહોને અગ્નિસંસ્કાર કરવાની ના પાડી ત્યારે કરાર તૂટી રહ્યો હોય તેવું લાગ્યું . આની એક રાત પહેલા આરએલડીના નેતા જયંત ચૌધરી પરિવારોને મળવામાં સફળ રહ્યાં હતાં. જ્યારે એવુ કહેવાય છે કે, પ્રિયંકા ગાંધી વાડ્રા અને અખિલેશ યાદવે ફોન પર પરિવારો સાથે વાત કરી હતી. મંગળવારે પરિવારોએ માંગ કરી હતી. પ્રથમ મંત્રીના પુત્રની ધરપકડ કરવામાં આવે અને તમામ મૃતદેહોને ફરીથી ઓટોપ્ટ કરવામાં આવે, કારણ કે પ્રથમ પરીક્ષણમાં તેમના શરીર પર ગોળીના નિશાન દેખાતા ન હતા. બપોર સુધીમાં સુષ્મિતા દેવ અને ડોલા સેનનું તૃણમૂલ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ પણ પરિવારો સાથે પહોંચી ગયું હતું.
ટિકૈતની દખલ પછી સુનિશ્ચિત કરાયું બીજી વખત ઓટોપ્સીનું પરીક્ષણ કરાયું
અહીં ટિકૈતની ફરી એન્ટ્રી થઈ હતી. તે દિવસ દરમિયાન ચારેય પરિવારોને મળ્યો અને તેમની સાથે ફરી વાત કરી, ત્યારબાદ પરિવારો સાંજે અંતિમ સંસ્કાર માટે તૈયાર થયા. સરકાર માટે આ મોટી રાહત હતી. ગુરવિંદર સિંહનો પરિવાર પહેલા તો સહમત ન હતો, પરંતુ ટિકૈતની દખલ પછી, તે સુનિશ્ચિત કરવામાં આવ્યું કે પીજીઆઈના ડોકટરોની ટીમ બહરાઈચ આવશે અને શરીરની બીજી વખત પરીક્ષણ કરશે, કારણ કે પરિવારને ડર હતો કે તેને ગોળી વાગી હશે. જ્યારે મંગળવારે સાંજે બે ખેડૂત પરિવારોએ સરકાર પાસેથી 45-45 લાખના ચેક પણ સ્વીકાર્યા છે.
ટિકૈતની રણનિતી કામ આવશે કે નહીં તેની ચાર્ચા
અહીં, મંત્રી સામે ટિકૈતના વિરોધ ઉંચો રહ્યો અને તેઓ તેમની અને તેમના પુત્ર સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે ચાર પરિવારોના શોક પૂર્ણ થયા બાદ ખેડૂતો આંદોલનની નવી રણનીતિ પર કામ કરશે. હાલમાં, લખીમપુર ખીરીની ઘટના બાદ ટિકૈતની ચર્ચાસ્પદ મુદ્દો છે.