ખરું ભારત તેનાં ગામડામાં વસે છે આ વાત બીજા અનેક અર્થમાં સાચી હશે. પરંતુ ભારતનાં દરેક રાજ્યો એક ગામમાં વસે છે તેમ તમે સાંભળશો તો ચોંકી જશો. પરંતુ આ વાત સાચી છે. ઉત્તર ગુજરાતમાં એક એવું પણ ગામ છે જ્યાં જતાં તમને દેશનાં તમામ રાજ્યો યાદ આવી જશે. બીજી રીતે કહો કે એ ગામની પ્રત્યેક સોસાયટી તમને દેશનાં જુદા-જુદા રાજ્યોની યાદ અપાવી દેશે. તો કયું છે એ ગામ જેમાં તમને ભારતદર્શન થશે તે જોઇએ.
એ ગામ જોવાની તમારી ઇંતેજારીને વધારે થંભવું નહીં પડે. આ ગામનો રોડ જુઓ અને આ ગામની જુઓ શેરીઓ. હાં આમ તો તમે ઉત્તર ગુજરાતનાં એક ગામમાં જ છો પરંતુ આ બોર્ડ પર લખેલા રાજ્યોનાં નામ જોઈને ગુંચવણમાં મુકાઈ ન જતા અને ઘડીભર માટે પણ ભૂલી ન જતા કે તમે ગુજરાત બહાર છો. જો કે, તમે લાખ પ્રયાસ કરશો તો પણ જ્યારે જ્યારે-જ્યારે બોર્ડ પર લખેલા ફળિયાનાં નામ વાંચશો તો તમને ઘડીવાર એવું લાગશે કે તમે થોડી થોડી વાર માટે દેશનાં કેટલાંય રાજ્યોમાં અલપ-ઝલપ માનસિક પ્રવાસ કરી રહ્યાં છો.
રાષ્ટ્રીય એકતાનાં પ્રતીક સમાન પ્રત્યેક ફળિયાને આપેલા રાજ્યોનાં નામ તમને સમગ્ર દેશની યાદ અપાવી દેશે. જમ્મુથી માંડીને તામિલનાડુ સુધી. ગુજરાતથી માંડી ઓરિસ્સા સુધીનાં ચારેય દિશાનાં રાજ્યો તમને આ ગામથી યાદ આવી જશે. તો આ છે ઉત્તર ગુજરાતનાં સાબરકાંઠા જિલ્લાનું હિંમતનગર તાલુકાનું વીરપુર ગામ આ ગામમાં તમને આખુ ભારત યાદ આવી જશે. કેમ કે ગામની પ્રત્યેક સોસાયટીને દેશનાં રાજ્યોનાં નામ આપવામાં આવ્યાં છે.
દિલ્હી પાર્કનાં ચોક પરથી પસાર થતાં નાગરિકો અને દિલ્હી પાર્કમાં રહેલા લોકનાં નામ આ બોર્ડ જોઈને તમે જો જો દિલ્હીમાં હોવાનો ભ્રમ સવાર ન થવા દેતાં. કેમ કે તમે બીજી મિનિટે ગુજરાત પાર્કમાં હોઈ શકો છો. ગુજરાત પાર્કમાંથી પસાર થતાં આ લોકો ક્યારે લટાર મારતા હરિયાણા પાર્ક તરફ જતાં રહેશે ખબર નહીં પડે. આ જુવાનિયાઓ, આ મહિલાઓ, આ આરોગ્ય કર્ચારીઓ ક્યારે ચાલતા-ચાલતા ક્યારે હિમાચલ પાર્કમાં અને ત્યાંથી મેઘાલય પાર્ક તરફ આવી જશે તે ખ્યાલ નહી રહે.
અહીં મહારાષ્ટ્ર પાર્કથી ગોવા પાર્ક કે ગુજરાત પાર્ક જવું હોય તો બહુ વાર નહીં લાગે. તમે પગપાળા પણ જઈ શકશો અને ત્યાંથી ઈચ્છા થાય તો હરિયાણા પાર્ક તરફ પણ આંટો મારતા આવજો. આ મજા અને આ સુવિધા અને આ મજા રાજ્યમાં બીજે ક્યાંય નહીં મળે. આ માટે તમારે સાબરકાંઠાનાં હિંમતનગરનાં વીરપુરની મુલાકાત લેવી પડશે. આ ગામમાં માત્ર તમામ સોસાયટીઓનાં નામ રાજ્યો પરથી જ છે એ જ ખાસિયત નથી પરંતુ સાથે-સાથે આ ગામનાં લોકો પણ એકબીજા સાથે સંપ અને કોમી એખલાસથી રહીને એક ભારત, અખંડ ભારતનું સપનું સાકાર કરી રહ્યાં છે.
બે ટર્મ પહેલાં ફારુખભાઈ જ્યારે આ ગામનાં સરપંચ હતાં ત્યારે તેમણે સમગ્ર ભારતને આ ગામડામાં લાવી મુક્યું. આજે આ ગામનાં લોકો ચાલતા-ચાલતા, વાતો કરતા-કરતા. કદીક મદ્રાસમાં જતા રહે છે. તો કદીક ગોવામાં. ગામનાં કેટલાંક લોકોએ ભલે દિલ્હી નહીં જોયું હોય પણ તેઓ વીરપુર ગામની દિલ્હી સોસાયટીમાં તો તેઓ વટથી રહે છે. અહીં આંધ્રપ્રદેશ અને તેલંગાણા જેવા સીમા વિવાદ નથી થતાં કે કાશ્મીરની જેમ કદી પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો નથી. એટલું જ નહીં આજ દીન સુધી આ ગામમાં પોલીસે પણ નથી આવવું પડયું. ત્યારે હાલનાં સંજોગોમાં ભારતે ડિજિટલ થતાં પહેલાં આ ગામ લોકોની જેમ સંપ ભાવના કેળવવાની જરૂર છે.