એક તરફ રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. બીજી તરફ સુરતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 2955 કેસ નોધાયા હતાં.
સુરતમાં સતત વધતું કોરોનાનું સંક્રમણ
એક દિવસમાં જ કોરોનાના નવા 2,955 કેસ નોધાયા
અનેક એકમો-સંસ્થાઓના કર્મચારી કોરોનાગ્રસ્ત
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું
સુરતમાં સોમવાર બાદ મંગળવારે પણ કોરોના વિસ્ફોટ થયો છે. અને કેસોની સંખ્યા 3 હજાર નજીક પહોંચી ગઈ છે. સોમવારે બપોર સુધી જ્યાં કોરોનાના કેસોની સંખ્યા 880 હતા. તે મંગળવાર સવાર સુઘી કોરોનાના કેસોની સંખ્યા વધીને 2955 થઇ ગઈ હતી. જ્યારે કોરોનાથી એક વ્યક્તિનું મોત પણ થયું છે.
અનેક એકમો-સંસ્થાઓના કર્મચારી કોરોનાગ્રસ્ત
બીજી તરફ વાત કરી સુરતના ગ્રામ્ય વિસ્તારોની તો તેમાં પણ કોરોનાના નવા કેસોમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 464 નવા દર્દીઓનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે. જેમાં કતારગામની ખોડિયાર ડાયમંડ કંપનીના 12 કર્મી કોરોનાની ચપેટમાં આવી ગયા છે. આ સાથે સીમાડા નાકા પેટ્રોલપંપના 9 કર્મીઓ સંક્રમિત થતાં પેટ્રોલ પંપ બંધ કરવામાં આવ્યો છે. જ્યારે સુરતમાં વધુ એક શાળામાં 711 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષક કોરોનાથી સંક્રમિત થયા છે. આ સાથે મનપાની સેક્રેટરી બ્રાંચના 13 કર્મીઓ કોરોનાગ્રસ્ત