યાત્રાધામ પાવાગઢ ડુંગર પર ભારે વરસાદ વરસ્યો છે. ડુંગર પર ભારે વરસાદ આવતા શ્રદ્ધાળુઓ અટવાયા હતા. ભારે વરસાદને પગલે ડુંગરથી નીચે તરફ પગથિયાં પર નદીઓ વહી હતી. વરસાદના પગલે સાત કમાન પાસે નવો બનાવેલ રોડ તૂટ્યો છે. જેના કારણે વાહન ચાલકોને પણ પરેશાનીનો સામનો કરવો પડ્યો. સુરક્ષાને ધ્યાના રાખીને વરસાદના સમયે રોપ-વે બંધ કરવાની ફરજ પડી છે.