માણસનો ખરાબ સમય ક્યારે આવી જાય એ કોઇ જાણતું નથી. એટલા માટે દરેક માણસ ભવિષ્ય માટે કંઇને કંઇ પ્લાન કરે છે. વાસ્તવમાં કેન્દ્ર સરકારે કેશલેશ ઇકોનોમીને પ્રોત્સાહન આપી રહી છે. આ હેઠળ મોદી સરકારે રૂપે કાર્ડને લોન્ચ કર્યું હતું. પરંતુ તમને કદાચ આ કાર્ડના ફીચર માટે જાણ નહીં હોય. તમારા વર્તમાન માટે તો આ કાર્ડ ફાયદાકારક છે જ પરંતુ સૌથી મોટી વાત એ છે કે જો ભવિષ્યમાં તમારી સાથે કોઇ દુર્ઘટના ઘટે તો આ કાર્ડ તમને 10 લાખ રૂપિયા અપાવી શકે છે. જાણો સમગ્ર ડિટેલ
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઇએ જણાવ્યું આ કાર્ડની સાથે 10 લાખ રૂપિયાનો વ્યક્તિગત દુર્ઘટના વીમા કવર પ્રદાન કરવામાં આવે છે. જો તમે આ કાર્ડનો ઉપયોગ વિદેશમાં કરો છો તો તમને એટીએમ પર 5 ટકા કેશ અને પીઓએસ પર 10 ટકાની કેશબેક મળશે.
એનપીસીઆઇએ જાણકારી આપતા જણાવ્યું કે અત્યાર સુધી 64 મિલિયન (6.4 કરોડ) કાર્ડ જારી થઇ ચુક્યા છે. તમને જણાવી દઇએ કે સરકાર આ કાર્ડને પ્રમોટ કરવા માટે ઘણી રીતો અપનાવી રહી છે . જો કે ઘણી મોટી વિદેશી કંપનીઓ આ કાર્ડનો વિરોધ કર્યો છે. આ કંપનીઓનું કહેવું છે કે સરકાર રૂપે કાર્ડને વધારે પ્રમોટ કરી રહી છે જેના કારણે એમના વેપાર પર અસર થઇ રહી છે.