કચ્છમાં છેલ્લા 20 વર્ષથી સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે,કચ્છમાં ભૂકંપની 4 ફોલ્ટલાઈન. આવી જ ફોલ્ટ લાઈન હિમાલયમાં પણ જોવા મળી છે
શા માટે વારંવાર આવે છે કચ્છમાં ભૂકંપ
કચ્છ યૂનિવર્સીટીનો ભૂકંપ પર સર્વે
કચ્છ જેવી જ ફોલ્ટ લાઈન હિમાલયમાં પણ
વૈશ્વિક સ્તરે ક્લાઈમેન્ટ ચેન્જની અસર અવાર-નવાર આપણા વાતાવરણમાં જોવા મળે છે.. કોઈ ઘટનાઓ ઘટે છે.. ભૂકંપ આવે છે.. વરસાદી આફત અને વાવાઝોડાં આવે છે.. કરા સાથે કમોસમી વરસાદ થાય છે... આવી અનેક ઘટનાઓ આપણે જોતા આવીએ છીએ.કેટલાક વર્ષમાં ભૂકંપ અને ભૂસ્ખલનની ઘટનાઓ પણ વધી ગઈ છે.. તેવામાં કચ્છ યુનિવર્સિટીના એક સર્વેમાં કચ્છમાં આવતા વારંવાર ભૂકંપના ચોંકાવનારા કારણો સામે આવ્યા છે.. ત્યારે શા માટે કચ્છમાં ભૂકંપના વધી ગયા છે
શું 2001 જેવો ભવિષ્યમાં આવી શકે છે ભૂકંપ?
આ સવાલ વારંવાર કચ્છના લોકોને ડરાવી રહ્યો છે.કારણ કે, દર મહિને કચ્છની ધરતી ભૂકંપના આંચકાથી ધણધણી ઉઠે છે.અને લોકોને 2001ની યાદ આવી જાય છે. કારણ કે, 2001માં આવેલા ભૂકંપે મોટી સંખ્યામાં લોકોનો ભોગ લીધો હતો.. હજારો પરિવારોના માળા વિખેરાઈ ગયા હતા.. તેવામાં કેદ્ર સરકારના અર્થ એન્ડ એન્વાયરમેન્ટ વિભાગ મારફતે સંશોધનો હાથ ધરાયા છે. જેમાં સામે આવ્યું છે કે, દર મહિને કચ્છમાં 3 થી 4 તીવ્રતાના આંચકા અનુભવાઈ રહ્યા છે. કેટલાક સમયે તો વાગડમાં આવતા આંચકા છેક ભુજ સુધી અનુભવાઈ છે. પરંતુ આ પ્રકારના વારંવાર આંચકા આવે કેમ છે..?
ફોલ્ટ લાઈન ભેગી થતા આવે છે આંચકા
કચ્છમાં છેલ્લા 20 વર્ષથી સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે,કચ્છમાં ભૂકંપની 4 ફોલ્ટલાઈન આવેલી છે..જેમાંથી વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટલાઈન અને કચ્છમેઈન ફોલ્ટલાઈનનો સંગમ થાય છે.. આમ આ બે ફોલ્ટલાઈનો ભેગી થતી હોવાથી અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે. મોટા ભાગે વાગડમાં જે આંચકા આવે છે તે 2001ના ભૂકંપના એપી સેન્ટરની આસપાસ જ આવે છે. જેતે સમયે ભૂકંપ આવ્યો ત્યારે જમીનમાં ભંગાણ સર્જાયું, જેના કારણે 6 મીટર જેટલી બે પ્લેટો સામસામે અથડાતા 75 કિલોમીટર સુધી પ્લેટો તૂટી ગઈ હતી.. પ્લેટોની નુકસાની આજસુધી યથાવત્ રહેતા આ વિસ્તારમાં ભૂકંપના આંચકા આવતા રહે છે. જેથી આ વિસ્તારના લોકોને આગામી સમયમાં પણ આ પ્રકારના આંચકાનો અનુભવ થઈ શકે છે.
કચ્છ જેવી જ ફોલ્ટલાઈન હિમાલયમાં એક્ટિવ
મહત્વનું છે કે, કચ્છમાં જે પ્રકારની ફોલ્ટલાઈન એક્ટિવ છે.. એવી જ MCT નામની ફોલ્ટલાઈન હિમાલયની તળેટીમાં પણ એિક્ટવ છે.. જેમાં પણ સમયાંતરે ભૂકંપના ઓછાૃ તીવ્રતાના આંચકા નોંધાયા છે.. જેની પરોક્ષ અસર ત્યાં થતાં ભૂસ્ખલનમાં જોવા મળી રહી છે.. આપણે અવાર-નવાર ભૂસ્ખલનની અનેક ઘટનાઓ પણ જોઈએ.. ખાસ કરીને પહાડી વિસ્તારોમાં.. જોકે ભવિષ્યમાં આ ફોલ્ટલાઈનના કારણે હિમાલયમાં 8 થી વધુ ભૂકંપના મોટા આંચકા આવી શકે છે.
કુદરતી ઘટના
એટલે કે,કચ્છથી લઈને હિમાલય સુધી જ્યાં ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે ત્યાંના લોકોએ ડરવાની નહીં પરંતુ સાવધાન રહેવાની જરૂર છે.એક વાત બધાએ હંમેશા યાદ રાખવી જોઈએ કે, આ ફોલ્ટલાઈન કુદરતી ઘટનાનો ભાગ છે જેને માનવી ક્યારેય ન રોકી શકે..