વજન ઓછુ કરવા માટે લોકો મોટાભાગે ફળ ખાય છે. ફળ કાપીને ખાવામાં આવે છે અથવા તો તેનો જ્યુસ પણ લોકો પસંદ કરે છે. પરંતુ એક એક્સપર્ટે જણાવ્યું કે વજન ઓછુ કરતી વખતે અમુક ફળોને ખાવાનું ટાળવું જોઈએ.
ફળ અને શાકભાજી શરીર માટે ફાયદાકારક
સ્વાસ્થ્ય માટે હેલ્ધી છે ફળ અને શાકભાજી
પરંતુ વજન ઓછુ કરવા માટે ન ખાવ આ ફળો
ફળ અને શાકભાજી શરીરને જરૂરી પોષક તત્વ, વિટામિન, મિનરલ આપે છે માટે તેને દરરોજ ખાવાની સલાહ આપવામાં આવે છે. એક્સપર્ટ્સ અનુસાર દરેક મનુષ્યને સવારે બ્રેકફાસ્ટમાં 1 ફળ જરૂર ખાવું જોઈએ અને લીલા શાકભાજીને ડાયેટમાં શામેલ કરવા જોઈએ. WHOના જણાવ્યા અનુસાર જે લોકો દિવસમાં ઓછામાં ઓછા પાંચ વખત ફળ અને શાકભાજી ખાય છે. તેમને હૃદય રોગ, સ્ટ્રોક અને અમુક પ્રકારના કેન્સરનો ખતરનો પણ ઓછો થઈ જાય છે.
જે લોકો વજન ઓછુ કરે છે. તે મોટાભાગે પોતાની ડાયેટમાં ફળ અને શાકભાજી શામેલ કરે છે. ડોક્ટર અને ડાયેટ એક્સપર્ટ ડૉ.માઈક મોસ્લેએ હાલમાં જ કહ્યું છે કે જો કોઈ વજન ઓછુ કરવા માંગે છે તો તેને અમુક ફળોનું સેવન ન કરવું જોઈએ. તે વજન વધારી શકે છે. તે કયા ફળ છે તેના વિશે જાણીએ...
કયા ફળો ન ખાવા જોઈએ?
એક રિપોર્ટ અનુસાર, ડૉ. માઈકલ મોસ્લે જણાવે છે કે જો કોઈ વ્યક્તિ સ્વસ્થ્ય છે તો તેના માટે ફળ ખાવા ખૂબ જ સારા છે. પરંતુ જો કોઈ વેટ લોસ માટે ડાયેટ ફોલો કરે છે તો તે વજન ઓછુ કરવા માટે સફરજન, જાંબુ, દ્રાક્ષ, રાસબરી અથવા એવાકાડો જેવા ફળ તો ખાઈ શકે છે કારણ કે તેમાં વધુ માત્રામાં શુગર હોય છે. પરંતુ કેરી, કોળુ, અનાનસને ખાવાથી બચવું જોઈએ કારણ કે તેમાં નેચરલ શુગર ખૂબ વધારે હોય છે.
ડૉ. માઈકલ મોસ્લેએ જણાવ્યું કે એક નોર્મલ સાઈઝની કેરીમાં 45 ગ્રામ, દ્રાક્ષમાં 23 ગ્રામ, રાસબરીમાં 5 ગ્રામ, એવાકાડોમાં 1.33 ગ્રામ ખાંડ હોય છે. વજન ઓછુ કરતા લોકોને કેરી, કેળા જેવા ફળોને ખાવાથી બચવું જોઈએ પરંતુ જે લોકો પાતળા છે. વજન વધારવા માંગે છે. તે તેનું સેવન કરી શકે છે.
વજન ઓછુ કરવા માટે ફૂટ ફેટ, ચીની અને મીઠા વાળા ફૂડ્સને અવોઈડ કરવા જોઈએ. તે ઉપરાંત પેકેજ્ડ ફૂડથી બચવું પણ ખૂબ જ સારૂ હોય છે. તેનાથી ફૂડ્સ હેલ્થ ખરાબ થાય છે. સાથે જ બિસ્કિટ અથવા ચિપ્સ જેવી વસ્તુઓ ખાવાથી બચો.