કોરોના થયા બાદ પણ નાની નાની બાબતોમાં સાવચેતી રાખવી આવશ્ય નહી તો પુનઋ સંક્રમિત થતા વાર નહી લાગે
કોરોના થયા બાદ ઓરલ હેલ્થ સાચવો
તમારુ બ્રશ તુરંત જ બદલી નાંથો
બાથરુમને ડિસઇન્ફેક્ટેડ જરુરથી કરો
દુનિયાભરમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. તેમાં પણ ઓમિક્રોનના કેસ તો પૂરઝડપે વધી રહ્યા છે. જો કે કોરોનાની બીજી લહેર જેવો તો ખતરો નથી. સાજા થવાનો દર વધી રહ્યો છે પરંતુ સંક્રમણ ન વધે તેની સાવચેતી રાખવાની જરુર છે. જે લોકો કોરોનામાંથી બહાર આવી ચૂક્યા છે તેમણે પણ ખાસ સાવચેતી રાખવાની જરુર છે.
ઓરલ હેલ્થનું ખાસ ધ્યાન રાખો
કોરોનામાંથી સ્વસ્થ થઇ ગયા બાદ ઓરલ હેલ્થનું ખાસ ધ્યાન રાખવુ જરુરી છે. સૌથી પહેલા તો તમારે ટૂથબ્રશ બદલી નાખવુ જોઇએ. જો કોરોનામાંથી રિકવર થયા બાદ તમારુ ટૂથબ્રશ તમે ન બદલ્યુ તો તે ખરેખર જોખમી સાબિત થઇ શકે છે. વળી અન્ય લોકો પણ એજ બાથરુમ યુઝ કરતા હોવ જે બાથરુમનો તમે ઉપયોગ કરો છો તેવા લોકો માટે પણ નુકસાનકારક સાબિત થાય છે.
શું કહે છે ડોક્ટર
ડૉ. અંજના સત્યજીત કહે છે કે દર 3 મહિને ટૂથબ્રશ બદલવુ જોઇએ. પરંતુ કોરોના થયા બાદ ટૂથબ્રશને ચેન્જ કરવામાં સ્હેજ પણ વાર ન કરવી.એનુ કારણ એ છે કે કોરોના વાયરસ પ્લાસ્ટિકની સપાટી પર લાંબા સમય સુધી જીવિત રહે છે. જે તમને પુનઃ સંક્રમિત કરી શકે છે. તેમજ અન્ય પરિવારજનોને પણ સંક્રમણનો ખતરો રહે છે. ટંગ ક્લિનર પણ તમારે બદલી દેવુ જોઇએ. કોવિડ 19 આપણી ઇમ્યુન સિસ્ટમને નબળી બનાવી દે છે. તો સાથે સાથે ઓરલ હેલ્થનું પણ ધ્યાન રાખવુ જરુરી છે.
કોરોના બાદ પણ આ કાળજી રાખો
બ્રશ કર્યા પહેલા તમારા હાથ સ્વચ્છ કરો
કોરોના થયા બાદ તમારુ બ્રશ બદલી નાંખો
ટંગ ક્લિનર પણ તમારુ બદલી નાંખો
દિવસમાં બે વખત બ્રશ કરો
જીભને પણ સાફ રાખો
તમારા બાથરુમને ડિસઇન્ફેક્ટ જરુરથી કરો