આયુર્વેદમાં દહીં ખાવાને લઇને ઘણાં નિયમો જણાવવામાં આવ્યા છે. ઘણી વખત દહીં કફ અને બ્લોકેજ વધારે છે. જોકે ઉનાળામાં દહીં ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમ છતાં દહીં ખાતી વખતે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે જેનાથી તેનાથી થતાં નુકસાનથી બચી શકાય છે. એમાંય ઘણા લોકો તો રોજ દહીં ખાતા હોય છે. તો આજે જાણી લો દહીં ખાવામાં કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
આયુર્વેદ અનુસાર રાતે દહીં ખાવાનું ટાળવું જોઇએ તેનાથી શરદી-ખાંસી અને કફની સમસ્યા થઇ શકે છે.
જો સવારે દહીં ખાવો છો તો તે પછી સૂઇ જવાનું ટાળવું જોઇએ નહીં તો ડાઇજેશનની પ્રોબ્લેમ થઇ શકે છે.
લાંબા સમય સુધી અને ખાટ્ટું દહીં ખાવાનું બને ત્યાં સુધી ટાળવું જોઇએ. તેનાથી એસિડિટી ફૂડ પોઇઝનિંગ અને પેટની સમસ્યાઓ થઇ શકે છે.
જો તમે નોનવેજ ખાતાં હોય તો તેની સાથે દહીં ખાવું નહીં. તેનાથી એલર્જી સ્કિન પ્રોબ્લેમ્સ અને પેટની પ્રોબ્લેમ્સ થઇ શકે છે.
સામાન્ય રીતે દહીંને ખાવાની સૌથી સારી રીતે ઠંડું હોય તે જ છે પરંતુ ઘણા લોકો દહીંને ગરમ કરીને ખાતા હોય છે દહીંને ગરમ કરવાથી તેમાં રહેલા સારા બેક્ટેરિયા ખત્મ થઇ જાય છે.
દહીંની સાથે દૂધ લેવું ટાળવું જોઇએ. તેનાથી પેટમાં ગરબડ ઇનડાઇજેશન લૂઝ મોશન થઇ શકે છે.
શરદી ખાંસી અને કફની સમસ્યા હોય તો દહીં ના ખાવું જોઇએ તેનાથી આ સમસ્યા વધી શકે છે.
અસ્થમા શ્વાસને સંબંધિત કોઇ સમસ્યા હોય તો ડોક્ટરની સલાહથી દહીં ખાવું. દહીંની પ્રકૃતિ ઠંડી હોવાથી આ તકલીફ વધી શકે છે.
સાંધાનો દુખાવો સ્કિનની અથવા કોઇ અન્ય એલર્જી થવા પર દહીં ખાવું નહીં. દહીં ખાવાથી આ સમસ્યા વધી શકે છે.
દહીંમાં ગોળ ખાંડ મીઠું અથવા જીરું મિક્સ કરીને જો ખાવામાં આવે તો દહીંના ફાયદા અનેકગણા વધી જાય છે.