પરિણામની દિશા જણાવી દે છે એક્ઝિટ પોલ
પોલ વાસ્તવિક આંકડા જણાવવામાં અસમર્થ હોય છે પરંતુ પરિણામની દિશા જરૂરથી જણાવી દે છે. જેમ કે આ વખતે મોટાભાગે એક્ઝિટ પોલમાં એનડીએને બહુમત મળે એવું જોવા મળી રહ્યું છે, એનાથી એક વાત તો નક્કી છે કે મોદી સરકાર ફરીથી બનવા જઇ રહી છે. અત્યાર સુધી એક જ વખત એવું થયું છે કે એક્ઝિટ પોલ સમગ્ર ખોટા સાબિત થયા હોય. જે રુઝાન દેખાડવામાં આવે છે, પરિણામ એ જ દિશામાં આવે છે.
ક્યારે કેટલા સાચા પડ્યા એક્ઝિટ પોલ
199માં થયેલી ચૂંટણીમાં મોટાભાગે એક્ઝિટ પોલએ એનડીએની મોટી જીત દેખાડી હતી. એમને એનડીએને 315થી વધારે સીટો આપી હતી. પરિણામ આવ્યા બાદ એનડીએને 296 સીટો મળી હતી. 2004માં એક્ઝિટ પોલ પૂરી રીતે ખોટું સાબિત થયું. મતદાન સર્વક્ષેત્રોનો દાવો કર્યો હતો કે કોંગ્રેસની વાપસી થઇ રહી નથી. તમામે ભાજપને બહુમત મળતું દેખાડ્યું હતું. પરંતુ આવું થયું નહીં. રિઝલ્ટના દિવસે એનડીએને 200 સીટ પણ મળી શકી નહીં, ત્યારબાદ કોંગ્રેસે એસપી અને બીએસપીની સાથે મળીને કેન્દ્રમાં સરકાર બનાવી હતી. 2009માં પમ એજન્સીઓએ યૂપીએને બહુમત મળે એવું દેખાડ્યું હતું, એક એજન્સીનું અનુમાન ઘણું સાચું રહ્યું હતું. એજન્સીએ ભાજપને 291 અને એનડીએને 340 સીટો મળે એવો અંદાજો લગાવ્યો હતો, અનુમાન પરિણામથી ખૂબ જ નજીક રહ્યું. ભાજપને 282 અને એનડીએને 336 સીટો મળી. જ્યારે યૂપીએ માત્ર 29 સીટો પૂરતી રહી ગઇ.
શું હોય છે એક્ઝિટ પોલ
એક્ઝિટ પોલ શોધકર્તા દ્વારા કરવામાં આવે છે. શોધકર્તા વોટ નાંખ્યાના તરત બાદ જ વોટર્સને પૂછે છે કે એમને કોને વોટ આપ્યો. ચૂંટણીના દિવસે આ પ્રકારની તમામ લોકો સાથે વાત કરવામાં આવે છે. આ જાણકારી દ્વારા એવું જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે કોણ જીતી રહ્યું છે અને કોણ હારી રહ્યું છે. મીડિયા સંસ્થાન પ્રોફેશનલ એજન્સીઓની સાથે મળીને એક્ઝિટ પોલ કરે છે.
ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ અલગ કેવી રીતે?
ઓપિનિયન પોલ દ્વરાા મતદાતાનું મંતવ્ય જાણી શકાય છે. એમાં મતદાન કરનાર અને ના કરનાર તમામ લોકો સામેલ થઇ શકે છે. આ મતદાન પહેલા કરવામાં આવે છે. જ્યારે એક્ઝિટ પોલ ચૂંટણી વાળાના દિવસે જ મતદાન બાદ કરવામાં આવે છે.
ભારતમાં 1960માં CSDSએ શોધ્યો હતો એક્ઝિટ પોલનો ઢાંચો
ભારતમાં એક્ઝિટ પોલનો ઢાંચો સેન્ટર ફૉર સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીએ 1960માં શોધ્યો હતો. જો કે મીડિયા માં 1980માં પહેલી વખત પોલ સર્વે થયો હતો. દૂરદર્શને સીએસડીએસની સાથે 1996માં એક્ઝિટ પોલ શરૂ કર્યો. 1998માં ચૂંટણીમાં લગભગ તમામ ચેનલોએ એક્ઝિટ પોલ કર્યા હતા.
મતદાન ખતમ થયા પહેલા કેમ ના દેખાડી શકે?
આરપી એક્ટ, 1951 ની સેક્શન 126 મતદાન પહેલા એક્ઝિટ પોલ સાર્વજનિક કરવાની મંજૂરી આપતું નથી. છેલ્લા તબક્કાનું વોટિંગ પૂર્ણ થયાના અડધો કલાક સુધી એક્ઝિટ પોલ શરૂ કરવામાં આવી શકે નહીં.આ પ્રતિબંધ પ્રકાશન, પ્રસારણ તમામ પર હોય છે.
એક્ઝિટ પોલ પર પ્રશ્નો કેમ ઊઠે છે
આલોચક અને રાજકીય પાર્ટી મોટાભાગે એક્ઝિટ પોલ કરવા વાળી એજન્સી પર એવું કહીને પ્રશ્નો ઊભા કરે છે કે એ ભેદભાવ કરે છે. એ પોલમાં પૂછવામાં આવતા પ્રશ્નો, મેથેડોલૉજી વગેરે પર પણ પ્રશ્નો ઊભા કરે છે.