પરિવહન મંત્રી ગડકરીએ રેલમંત્રી પીયૂષ ગોયલે 100 સ્ટેશનો પર કુલડી ફરજીયાત કરવા માટે પત્ર લખ્યો. 2004માં તત્કાલીન રેલમંત્રી લાલૂ યાદવે પણ રેલવે સ્ટેશનો પર કુલડીનું ચલણ શરૂ કર્યું હતું.
જલ્દીથી રેલવે સ્ટેશનોની સાથે સાથે એરપોર્ટ, બસ સ્ટેશન અને મોલ્સમાં પણ તમને કુલડીમાં ચા મળી શકે છે. કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ રેલમંત્રી પીયૂષ ગોયલને આ સંબંધમાં પત્ર લખ્યો છે. ગડકરીએ પત્રમાં કહ્યું છે કે 100 સ્ટેશનો પર કુલડી ફરજીયાત કરવામાં આવે. હાલ વારાણસી અને રાયબરેલી રેલવે સ્ટેશન પર કેટર્સ ટેરાકોટાથી બનેલી કુલડી, ગ્લાસ અને પ્લેટોનો ઉપયોગ કરે છે.
ગડકરીએ કહ્યું- મે પીયૂષ ગોયલને એવું પણ સૂચન આપ્યું છે કે એરપોર્ટ અને બસ ડિપોમાં પણ ચા ના સ્ટોલ પર કુલડી ફરજીયાત કરવામાં આવે. અમે મોલ્સને ફણ કુલડીનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરીશું.
ગડકરીએ કહ્યું કે આ પગલાથી સ્થાનિક કુંભારો માટે મોટા બજારની તક ઊભી થશે. સાથે પેપર અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવાથી પર્યાવરણને પણ બચાવી શકાશે.
ગડકરીએ ખાદી અને ગ્રામોદ્યોગ આયોગને પણ એવો નિર્દેશ આપ્યો છે કે મોટા પાયા પર કુલડી બનાવવા માટે ઉપકરણોનું સપ્લાઇ નિશ્ચત કરે.
આયોગના અધ્યક્ષ વિનય કુમાર સક્સેનાએ કહ્યું કે અમે ગત વર્ષે 10 હજાર ઇલેક્ટ્રિક વ્હીલ આપ્યા, આ વર્ષે અમે 25 હજાર ઇલેક્ટ્રિક વ્હીલ આપવાનો અમારો લક્ષ્ય છે.
સક્સેનાએ જણાવ્યું કે કુંભાર સંરક્ષણ યોજના હેઠળ કુંભારોને ઇલેક્ટ્રિક વ્હીલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે કારણ કે તેઓને ઉત્પાદન વધારવામાં મદદ મળે.
2004માં તત્કાલીન રેલમંત્રી લાલૂ પ્રસાદ યાદવે કુંભારોને પ્રોત્સાહન આપવા માટે રેલવે સ્ટેશનો પર કુલડીનું ચલણ શરૂ કર્યું હતું. એમને સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે ગરમ પીણું માત્ર કુલડીમાં જ આપવામાં આવે.